વડોદરા યુવતી બહુચર્ચિત દુષ્કર્મ મામલો સામે આવ્યો ત્યારથી જ દુષ્કર્મ કેસમાં સંજીવ શાહની OASIS સંસ્થા શંકાના ઘેરામાં આવી છે.
વડોદરા યુવતી સામૂહિક દુષ્કર્મ કેસ
OASISના સંસ્થાપક સામે ગંભીર આક્ષેપ
કોંગ્રેસ નેતા નરેન્દ્ર રાવતે કર્યા આક્ષેપ
વિવાદિત OASIS સંસ્થાની કરતૂતોના વધુ એક સાક્ષી આવ્યા વીટીવી સમક્ષ અને કેટલીક હકીકતો તેમણે જણાવી હતી. નરેન્દ્ર રાવતે સંજીવ શાહ અને સંસ્થાના વિવાદિત ભૂતકાળ ની પોલ ખોલી. 1991 માં સંસ્થાના સંચાલક સંજીવ શાહ વડોદરામાં કાર્યરત થયા હતા અને ત્યારથી જ સારીસારી વાતો કરી લોકો ને પ્રભાવિત કરતા હતા.
યુવતીઓને હાથો બનાવીને સંજીવ શાહ ઉઘરાવતો ડોનેશન
સંજીવ શાહ મોટા પ્રમાણમાં યુવતીઓને સંસ્થામાં જોડતા હતા. તેમની કરતૂતો ખુલતા તેમને 1995 માં OASIS માટે યુનિ કેમ્પસ માં પ્રવેશ બંધી ફરમાવવામાં આવી હતી. સંજીવ શાહ યુવતીઓને હાથો બનાવી ડોનેશન ઉઘરાવતો હતો. સંસ્થાના સંચાલકો સામે તપાસ થવી જોઈએ. સંસ્થામાં અનૈતિક પ્રવૃતિઓ ચાલતી હતી. પોલીસ પાસે પૂરતી માહિતી છતાં ગુનેગારો બહાર ફરી રહ્યા છે. પોલીસ તપાસમાં નિષ્ફળ નીવડી હોવાની વાત પણ નરેન્દ્ર રાવતે જણાવી હતી.
કોંગ્રેસી નેતા નરેન્દ્ર રાવતનું સ્ફોટક નિવેદન
કોંગ્રેસી નેતાએ સંસ્થાની કામગીરીને લઈને મોટો ઘટસ્ફોટ કરતા જણાવ્યું હતું કે, કેટલાક વાલીઓ અને નગરજનોએ ફરિયાદ કરી હતી કે, આ સંસ્થાની શરત એ છે કે જિંદગીભર લગ્ન ન કરવા અને કુંવારા રહેવું. પહેલા તો એવું લાગતું સંસ્થા સારી કામગીરી કરી રહી છે પરંતુ દીકરીઓ પોતાના વાલીઓને લગ્ન કરવાની ના પાડતા ચિંતા થવા લાગી અને તેમણે સંસ્થાની કામગીરી સામે સવાલો ઉભા કર્યા હતા.
કલેક્ટરને પ્રભાવિત કરીને સંસ્થા દ્વારા બનાવાઈ મઢુલીઓ
વધુમાં તેમણે જણાવ્યું કે, 20 વર્ષ પહેલા શેરખી ગામમાં સ્થાનિક કલેક્ટરને પણ પ્રભાવિત કરીને સંસ્થા દ્વારા મોટી જમીન ખરીદવામાં આવી અને ત્યાં મોટી-મોટી મઢુલીઓ બનાવી તો દેશના પ્રખર સાહિત્યકારો અને અન્ય લોકોને પ્રભાવિત કરવામાં આવ્યા હતા. જો કે, ત્યારબાદ મોટાપાયે આંદોલન કરવામાં આવ્યું હતું. અંતે તે જમીન કલેક્ટર દ્વારા ખાલાસા કરવામાં આવી હતી.
છોકરીઓ ઘરે જ નહોતી આવતી : રાવત
કોંગી નેતાઓ ઘટસ્ફોટ કરતા જણાવ્યું કે, જે દીકરીઓ આ સંસ્થા સાથે જોડાતી તે હંમેશા એવું કહેતી કે, અમે તો કૃષ્ણ જેવું જીવન જીવીએ છીએ. તો મોટા ભાગની છોકરીએ ઘરે જ નહોંતી આવતી.
યુવતીઓ નિવસ્ત્ર થઈ ફરતી
સંસ્થામાં યુવતીઓ નિવસ્ત્ર થઈ ફરતી હોવાનો પણ ગ્રામજનોએ ફરિયાદમાં ઉલ્લેખ કર્યો હતો..જ્યારે ગ્રામજનો રજૂઆત કરવા જાય તો સંસ્થા તરફ દાદાગીરી કરવામાં આવતી હોવાનું સામે આવ્યું છે..એટલું જ નહીં સમગ્ર મામલે ગ્રામજનો દ્વારા જિલ્લા કલેક્ટર અને મામલતદારને પણ રજૂઆત કરી હોવાનું તપાસમાં ખુલ્યું છે..જે બાદ સંસ્થા પાસેથી જમીન પરત લઈ લીધી હતી..જો કે સંસ્થા અને તેની કામગીરી મુદ્દે હજુ પણ મોટો રહસ્યો સામે આવી શકે છે જેને લઈને પોલીસે તપાસ કાર્યવાહી હાથ ધરી છે.
20 વર્ષ પહેલા ઓએસીસ સંસ્થા અહી કાર્યરત હતી
વડોદરા સામૂહિક દુષ્કર્મ બાદ આપઘાત કેસમાં OASIS સંસ્થાની ઘોર બેદરકારી સામે આવી છે. ટ્રસ્ટીઓ દુષ્કર્મની ઘટના જાણતા હોવા છતા વાતને છુપાવી હતી..ઘટના બાદના ઘટનાક્રમથી સંસ્થા અને ટ્રસ્ટીઓ શંકાના દાયરામાં આવ્યા છે. સંસ્થામા સંજીવ શાહ, શૈલેષ શાહ અને પ્રિતી નાયર ટ્રસ્ટી છે, મહત્વનું છે કે દુષ્કર્મની ઘટના બાદ પીડિયાએ ડાયરીમાં ઉલ્લેખ કર્યો હતો. અને પીડિતાએ કંપનીની કર્મચારી વૈષ્ણવીને ડાયરીના ફોટા મોકલ્યા હતા જેમાં પીડિતાએ દુષ્કર્મનો ઉલ્લેખ કર્યો હતો
OASIS સંસ્થાના 5 લોકોના મોબાઇલ કરાયા જપ્ત: DySP
આપઘાત પહેલા યુવતીએ OASIS સંસ્થાનો કોન્ટેક્ટ પણ કર્યો હતો અને ડાયરીમાં તેનો ઉલ્લેખ પણ કર્યો હતો. જે બાદ પોલીસે કાર્યવાહી કરતાં OASIS સંસ્થાના 5 લોકોના મોબાઇલ ફોન જપ્ત કરાયા છે. યુવતીના સહ કર્મચારી શૈલેષ અગ્રવાલ,સંજીવ શાહ,પ્રીતિ નાયર,વૈષ્ણવી અને અવધિના ફોન મેળવી તેણે FSLમાં મોકલવામાં આવ્યા છે. OASIS સંસ્થાકર્મી સામે હાલ તપાસ ચાલી રહી છે ગુનેગાર હશે તો કાર્યવાઈ થશે તેવી વાત પણ કરી હતી.OASIS મેનેજીંગ ટ્રસ્ટીના પતિ સંજીવને યુવતીના મેસેજ બાદ સંસ્થાએ ઘટનાને ગંભીરતાથી કેમ ન લીધી તે અંગે હાલ પૂછપરછ કરાઇ રહી છે.
ભાઇ તરીકે ખાતરી આપું છું કે બહેનને ન્યાય મળશેઃ હર્ષ સંઘવી
જો કે આજે વડોદરમાં ગૃહરાજ્યમંત્રીએ મહત્વનું નિવેદન આપતા કહ્યું કે દુષ્કર્મ કેસમાં પોલીસ મજબૂતીથી કામ કરી રહી છે. અને યુવતીના ભાઇ તરીકે ખાતરી આપું છું કે બહેનને ન્યાય મળશે. અને આરોપીઓને જલ્દી પકડી લેવામાં આવશે. પીડિતા યુવતીના ભાઈ તરીકે તેને અને તેના પરિવારને ન્યાય અપાવીશ. તેઓએ કહ્યું કે આરોપીઓને શોધવા જેટલી પોલીસ ફોર્સની જરૂર હશે તેટલી આપીશું. ગુજરાત પોલીસની કોઈ બોર્ડર નથી તમામ ટીમો ગુજરાત પોલીસ તરીકે કામ કરી રહી છે. પોલીસે 500થી વધુ CCTV ફૂટેજ તપાસ્યા છે. અને હજારો મોબાઈલ સર્વેલન્સના આધારે ગુનો ઉકેલવા પ્રયાસો કર્યા છે.
શું યુવતીનું મર્ડર થયું?
સામુહિક દુષ્કર્મ બાદ યુવતીએ આપઘાત કરી લીધો હોવાનું મનાઇ રહ્યું હતું પરંતુ યુવતીએ આત્મહત્યા નહીં પરંતુ વ્યવસ્થિત રીતે મર્ડર કરાયું હોવાની શક્યતાઓ છે. આ ઘટનાને 17 દિવસ થવા આવ્યા છે, ત્યારે પોલીસ ચોતરફ તપાસ કરી રહી છે. તેવામાં હવે યુવતીના દુષ્કર્મ કેસમાં નવો ખુલાસો થયો છે. યુવતીએ કરેલા છેલ્લો મેસેજ યુવતીની હત્યા થઇ હોવાનું સ્પષ્ટપણે દર્શાવે છે.
યુવતીને આરોપીઓએ ચપ્પુનો ઘા માર્યો હોવાનો ખુલાસો
વડોદરામાં યુવતી સાથે સામૂહિક દુષ્કર્મ મામલે સામે આવ્યું છે કે, દુષ્કર્મથી બચવા પ્રતિકાર કરતા આરોપીઓએ યુવતીને ચપ્પુનો ઘા માર્યો હતો. દુષ્કર્મ બાદ યુવતીએ તેના આપવીતી પોતાની ડાયરીમાં નોંધી હતી. જો કે પોલીસ તપાસમાં સામે આવ્યું કે યુવતીની ડાયરીમાંથી છેલ્લું પાનુ ફાડી નાખવામાં આવ્યું હતું. ડાયરીના ફાડી નાખવામાં આવેલા પાનાની પોલીસને ઝેરોક્ષ મળી છે. OASIS સંસ્થાની મેનેજિંગ ટ્રસ્ટી પ્રીતિ નાયરે પોલીસને ઝેરોક્ષ આપી છે. સંસ્થાને અગાઉથી જ યુવતી સાથે દુષ્કર્મ થયાની જાણ હતી. જો સંસ્થાએ પોલીસને જાણ કરી હોત તો યુવતીનો જીવ બચી શક્યો હોત. ત્યારે ઓએસીસની કામગીરી સામે પણ અનેક સવાલો ઉઠી રહ્યા છે.
અત્યાર સુધી આ કેસમાં શું ખુલાસા થયા?
વડોદરામાં કામ કરતી યુવતી સાથે દુષ્કર્મ અને આપઘાત કેસમાં વધુ એક કડી પોલીસને હાથ લાગી છે, વડોદરાની યુવતીનો પીછો કરતા યુવકને સુરતની ઝૂપડપટ્ટીમાંથી અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે ઉઠાવ્યો છે. પીડિતાએ પોતાની ડાયરીમાં કોઈ યુવક તેનો પીછો કરી રહ્યા હોવાનું મેસેજ કર્યો હતો.. જેને આધારે પોલીસે સીસીટીવીના આધારે પોલીસે બે શંકાસ્પદ શખ્સોને સુરતની ઝૂંપડપટ્ટીમાંથી ઝડપી પાડ્યો છે. નવસારીની વિદ્યાર્થિની પર વડોદરામાં ગેંગરેપ બાદ વલસાડમાં આપઘાતના કેસમાં પોલીસે બે શકમંદની અટકાયત કરી છે જેમાં બે શકમંદો પૈકી એક રિક્ષાચાલક પકડાયો છે, તે યુવતીનો મિત્ર હોવાનું જાણવા મળ્યું છે. જ્યારે બીજી વ્યક્તિ ઓએસિસ સંસ્થા સંકળાયેલી છે. બીજી તરફ, આજે પણ અમદાવાદ ક્રાઇમ બ્રાંચ અને વડોદરા ક્રાઇમ બ્રાન્ચે વેક્સિન ઇન્સ્ટિટ્યૂટ ગ્રાઉન્ડની મુલાકાત લઇને કેસની તપાસ કરી હતી.