વડોદરામાં પ્રેરણા કેસ મામલે ક્રાઈમ બ્રાન્ચે OASIS સંસ્થા સામે સવાલો કર્યાં.ક્રાઈમ બ્રાન્ચે સંચાલકોની પુછપરછ માટે કોર્ટમાંથી મંજુરી મેળવી છે.કોર્ટે મંજુરી આપતા સંસ્થાના સંચાલકોને સમન્સ પાઠવ્યા છે.OASISના સંચાલકોને ક્રાઈમ બ્રાન્ચમા હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું છે. કેસની તપાસ ક્રાઈમ બ્રાન્ચના PI વી.એચ.ખેરને સોપાઈ છે. પ્રીતિ નાયર, સંજીવ શાહ અને વૈષ્ણવીને સમન્સ પાઠવાયું છે. ગઈકાલે ક્રાઈમ બ્રાન્ચે સંસ્થાના જવાબદાર લોકો સામે ગુનો દાખલ કર્યો હતો
હર્ષ સંઘવીએ આજે શું કહ્યું?
પ્રેરણાને લઇને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીનું નિવેદન આપતા કહ્યું હતું કે કેસમાં SIT બનાવવામાં આવી છે, દીકરીના પરિવારને ન્યાય આપવા કામ કરી રહ્યા છીએ
જેમાં રાજ્યની મહત્વની એજન્સી આ કેસમાં કામે લાગી સઘન તપાસ થઈ રહી છે. CCTV, મોબાઈલ લોકેશનની તપાસ થઈ છે આ કેસમાં રોજ SIT સાથે ચર્ચા કરું છું અને અપડેટ લેતો રહું છું. રાજ્યની દીકરીને ન્યાય મળશે તેની ખાતરી આપું છું
Oasisના સંચાલક પ્રીતિ નાયક,વૈશ્ણવી ટાપરિયા,સંજીવ શાહ સામે ગુનો નોંધાયો
ઓએસીસ સંસ્થા પણ વિવાદના વમળમાં ફસાઈ છે. યુવતીએ ઓએસીસનાં વડા સંજીવ શાહને અંતિમ ફોન કરી બચાવી લેવા આજીજી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ સંસ્થાના માલિક અને કર્મચારીઑની પૂછપરછ બાદ આ કેસમાં ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. આખરે હવે ઓએસીસ સંસ્થા સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. પ્રીતિ નાયક,વૈશ્ણવી ટાપરિયા,સંજીવ શાહ સામે ગુનો નોંધી તપાસમાં યોગ્ય પુરાવા મળશે તો સંસ્થાનું લાયસન્સ રદ સુધીની કાર્યવાહી થશે તેવો ક્રાઇમ બ્રાંચે સંકજો કસ્યો છે.
FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ
વડોદરામાં પ્રેરણા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો હતો જેમાં યુવતી ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું FSL રિપોર્ટમાં તારણ સામે આવ્યું. ગાંધીનગર FSL દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો મહત્વનું છે કે સાંયોગિક મેડિકલ પુરાવા, ઓરલ પુરાવાના આધારે પોલીસે ગેંગરેપનો કેસ દાખલ કર્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, એટલું જ નહીં મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની પણ નોંધ કરી હતી. ત્યારે હવે FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવતા કેસ વધુ ગુંચવાયો છે.