OASIS સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ પર ઘટનાની માહિતી છુપાવવાનો છે આક્ષેપ, સંજીવ શાહ, પ્રીતિ નાયર અને વૈષ્ણવીને પૂછપરછ માટે હાજર રહેવા સમન્સ પાઠવ્યું હતું
વડોદરામાં યુવતી પર ગેંગરેપ અને આપઘાતનો મામલો
સવારથી ક્રાઈમ બ્રાન્ચ બંનેની કરી રહી છે પૂછપરછ
OASIS સંસ્થાની વૈષ્ણવી મીડિયાને જોઇ ભાગી
વડોદરામાં પ્રેરણા કેસ મામલે ક્રાઈમ બ્રાન્ચે OASIS સંસ્થા સામે સવાલો કર્યાં.ક્રાઈમ બ્રાન્ચે સંચાલકોની પુછપરછ માટે કોર્ટમાંથી મંજુરી મેળવી હતી.કોર્ટે મંજુરી આપતા સંસ્થાના સંચાલકોને સમન્સ પાઠવ્યા હતા.OASISના સંચાલકોને ક્રાઈમ બ્રાન્ચમા હાજર રહેવા સમન્સ પાઠવવામાં આવ્યું હતું. જે બાદ આજે OASIS સંસ્થાના વૈષ્ણવી અને દિનકલની પૂછપરછ હાથ ધરાઇ હતી. પોલીસ સામે હાજર થયા બાદ જ્યારે વૈષ્ણવી બહાર નિકળી રહી હતી ત્યારે VTV ગુજરાતીના રિપોર્ટરે સવાલ પૂછ્યા હતા. પણ OASIS સંસ્થાની વૈષ્ણવી મીડિયાને જોઇ ભાગી છૂટી હતી.વૈષ્ણવીની આખો દિવસ પૂછપરછ કરવામાં આવી હતી. હવે આવતીકાલે સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી બોલાવવામા આવશે. એક સમય મિડિયા પર આક્ષેપ કરતી વૈષ્ણવી હવે ભાગી રહી છે
VTV સવાલોથી ભાગી વૈષ્ણવી, ગેંગરેપ કેસમાં છે શંકાસ્પદ રોલ
વડોદરામાં યુવતી પર ગેંગરેપ બાદ આપઘાત કેસમાં શંકાના ઘેરામાં આવેલ OASIS સંસ્થાની વૈષ્ણવી VTVના સવાલોથી રીતસરની ભાગી, OASIS સંસ્થાના જવાબદાર વ્યક્તિઓ પર ઘટનાની માહિતી છુપાવવાનો છે આક્ષેપ pic.twitter.com/wlFjQU74sy
OASIS સંસ્થાની વૈષ્ણવી ટાપરીયાને કેમ ભાગી રહી છે ?
એક સમય મિડિયા પર આક્ષેપ કરતી વૈષ્ણવી હવે ભાગી રહી છે ?
અત્યાર સુધી કેમ હાજર થતા ન હતા ?
જવાબ આપવાથી કેમ છટકી રહ્યાં છે જવાબદારો ?
ગેંગરેપ અને આત્મહત્યા કેસમાં ચૂપકીદી કેમ ?
ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ સાચા ગુનેગારો સામે આવશે ?
OASISના સંચાલક પ્રીતિ નાયક,વૈશ્ણવી ટાપરિયા,સંજીવ શાહ સામે ગુનો નોંધાયો
ઓએસીસ સંસ્થા પણ વિવાદના વમળમાં ફસાઈ છે. યુવતીએ ઓએસીસનાં વડા સંજીવ શાહને અંતિમ ફોન કરી બચાવી લેવા આજીજી કરી હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું હતું. જે બાદ સંસ્થાના માલિક અને કર્મચારીઑની પૂછપરછ બાદ આ કેસમાં ક્રાઇમ બ્રાંચે મોટી કાર્યવાહી કરી છે. આખરે હવે ઓએસીસ સંસ્થા સામે ગુનો નોંધી ફરિયાદ દાખલ કરી છે. પ્રીતિ નાયક,વૈશ્ણવી ટાપરિયા,સંજીવ શાહ સામે ગુનો નોંધી તપાસમાં યોગ્ય પુરાવા મળશે તો સંસ્થાનું લાયસન્સ રદ સુધીની કાર્યવાહી થશે તેવો ક્રાઇમ બ્રાંચે સંકજો કસ્યો છે.
FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ
વડોદરામાં પ્રેરણા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો હતો જેમાં યુવતી ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું FSL રિપોર્ટમાં તારણ સામે આવ્યું. ગાંધીનગર FSL દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો મહત્વનું છે કે સાંયોગિક મેડિકલ પુરાવા, ઓરલ પુરાવાના આધારે પોલીસે ગેંગરેપનો કેસ દાખલ કર્યો છે. પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, એટલું જ નહીં મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની પણ નોંધ કરી હતી. ત્યારે હવે FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવતા કેસ વધુ ગુંચવાયો છે.