વડોદરામાં કથીત દુષ્કર્મ અને આત્મહત્યા કરનારી નવસારીની પીડિત દિકરીની માતાએ અનેક રજુઆત કરી પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી અને આ ઘટનાનો આજે પણ ભેદ ઉકેલાયો નથી.
વડોદરામાં પ્રેરણા કેસમાં એક વર્ષ વીતવા છતાં આરોપી પકડાયા નથી
રહસ્ય આજે પણ અકબંધ
માતાએ અનેક રજુઆત કરી પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી
નવસારીની એક દીકરી સાથે બળાત્કાર થયો હતો અને બાદમાં તેણે આપઘાત કરી લીધો હતો. પરંતુ પોલીસ આજ દિવસ સુધી આ કેસનો ભેદ પોલીસ ઉકેલી શકી નથી. વડોદરામાં બે રિક્ષાચાલકે ગત કાળી ચૌદશના દિવસે રેપ કર્યો હોય તેવી ચર્ચા વચ્ચે યુવતીએ અપઘાત કરી લીધો હતો. ત્યારબાદ વડોદરા દુષ્કર્મ અને કથિત આત્મહત્યા કરનારી નવસારીની પીડિત દિકરીની માતાએ અનેક રજુઆત કરી પરંતુ હજુ સુધી ન્યાય મળ્યો નથી.
મૃતકની માતાએ ગૃહરાજ્યમંત્રીને ન્યાય માટે આજીજી કરી હતી
વડોદરાની OASIS સંસ્થા સાથે જોડાયેલી નવસારીની દિકરીને ગત 28 ઓકટોબરના રોજ વડોદરામાં જ અપહરણ કરી, તેની સાથે બે રિક્ષા ચાલકોએ દુષ્કર્મ આચર્યું હતું. ત્યાર બાદ, ગત 4 નવેમ્બરની વહેલી સવારે પીડિતાનો વલસાડના રેલ્વે યાર્ડમાં ગુજરાત કવીનના કોચ D/12 માં કથિત આત્મહત્યા કરાયેલો મૃતદેહ મળ્યો હતો. નવસારીની દિકરી સાથે ઘટેલી આ ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી નાંખ્યુ હતુ. પણ ન્યાયની માત્ર વાતો જ થઈ હજુ સુધી પ્રેરણા કેસના આરોપી પકડાયા નથી, ત્યારે પીડિતની માતાએ OASIS સંસ્થા સામે ગંભીર આરોપ કરી માતાએ ગૃહરાજ્યમંત્રીને ન્યાય માટે આજીજી કરી હતી.
શું થયું હતું પીડીતાની સાથે તેનો જવાબ પોલીસ પાસે નથી ?
આજે એક વર્ષ વીત્યા બાદ પણ નવસારીની દિકરીને ન્યાય મળ્યો નથી. ત્યારે પીડિતાની માતાએ વિભિન્ન પોલીસ ટીમો કાર્યરત હોવા છતાં કઈ તકલીફ છે કે હજી સુધી આરોપીઓ પકડી શકાતા નથી. તેવા આરોપો લગાવ્યા છે. વધૂમાં ગુજરાતમાં દીકરીઓ સુરક્ષિત જ નથી ? એવો પ્રશ્ન પીડિતાની માતાએ ઉઠાવ્યો હતો. સાથે જ દિકરીઓ સાથે અત્યાચાર કરનારને પકડીને જાહેરમાં ફાંસીના માચડે લટકાવવાની માંગણી પણ કરી હતી.
ન્યાય અપાવવા રાજ્યના યુવા ગૃહમંત્રીએ વિશ્વાસ આપ્યો હતો
રેલ્વે પોલીસ સાથે અમદાવાદ, વડોદરા ક્રાઈમ બ્રાંચ સાથે SIT ની પણ રચના કરીને દિકરીને વહેલો ન્યાય અપાવવા રાજ્યના યુવા ગૃહમંત્રીએ વિશ્વાસ આપ્યો હતો. પ્રેરણાને દિકરીને પોતાની બહેન અને તેની માતાને પોતાની માતા સરખી જ ગણાવીને નરાધમોને વહેલા પકડી, સખ્ત સજા અપાવવાની ખાતરી આપી હતી. પરંતુ પીડિતાને પરિવારને ન્યાય મળ્યો નથી. આથી અનેક સવાલો ઊભા થયા છે,
FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ
વડોદરામાં પ્રેરણા દુષ્કર્મ કેસમાં ચોંકાવનારો વળાંક સામે આવ્યો હતો કે જેમાં યુવતી ઉપર દુષ્કર્મ ન થયું હોવાનું FSL રિપોર્ટમાં તારણ સામે આવ્યું હતું. ગાંધીનગર FSL દ્વારા રેલવે પોલીસને રિપોર્ટ સોંપવામાં આવ્યો હતો મહત્વનું છે કે સાંયોગિક મેડિકલ પુરાવા, ઓરલ પુરાવાના આધારે પોલીસે ગેંગરેપનો કેસ દાખલ કર્યો હતો.પોસ્ટ મોર્ટમ રિપોર્ટમાં યુવતીના શરીર ઉપર ઈજાના નિશાન પણ મળી આવ્યા હતા, એટલું જ નહીં મૃતક યુવતીએ પોતાની ડાયરીમાં તેની સાથે દુષ્કર્મ થયું હોવાની પણ નોંધ કરી હતી. ત્યારે હવે FSL રિપોર્ટમાં દુષ્કર્મ ન થયું હોવાનું તારણ સામે આવતા કેસ વધુ ગુંચવાયો હતો. હાલ આ કેસ ક્યાં પહોંચ્યો તે કોઈને ખબર નથી.
આ ચકચારી કેસમાં મોટામાથાની સંડોવણી હોય તેવી પણ ચર્ચા ચાલી રહી છે. આ માટે પોલીસની તપાસ અને એફએસએલ રીપોર્ટમાં અલગ અલગ વાત સામે આવી હતી. આ ઘટનામાં પહેલા ગોત્રી પોલીસ તપાસ કરતી હતી બાદમાં ક્રાઈમ બ્રાન્ચે તપાસ કરી છતાં સત્ય હજુ સુધી બહાર આવ્યું નથી.