ગુજરાતમાં કોરોના કહેર વચ્ચે લોકડાઉનનો કડક અમલ કરાવવા માટે સરકાર દ્વારા અનેક પ્રકારના પગલા લેવામાં આવી રહ્યાં છે. ત્યારે લોકડાઉન વચ્ચે લોકો વારંવાર ભંગ કરી બહાર નીકળતા પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવે છે. બીજી તરફ વડોદરા શહેરમાં શાકભાજીના વેપારીઓ દ્વારા પોલીસ દ્વારા માર મારવાનો આરોપ લગાવી શાકભાજી ન વેચવાનો નિર્ણય કરાયો છે.
વડોદરામાં આજથી શાકભાજીનું વેચાણ નહીં
પોલીસ માર મારતી હોવાથી વેપારીઓ દ્વારા નિર્ણય
ટ્રેક્ટર-ટેમ્પોને પરવાનગી હોવા છતા હેરાનગતીના આક્ષેપ
વડોદરામાં લોકડાઉન દરમિયાન વેપારીઓ દ્વારા શાકભાજી ન વેચવાનો નિર્ણય કરાયો છે. શહેરની પોલીસ માર મારતી હોવાથી વેપારીઓએ શાકભાજી ન વેચવાનો નિર્ણય કર્યો છે. તંત્ર દ્વારા શાકભાજીના ટ્રેક્ટર અને ટ્રેમ્પોને પરવાનગી આપી હોવા છતાં પોલીસ દ્વારા હેરાનગતીના આક્ષેપ કરાયા છે.
APMC અને પાલિકા સંયુક્ત રીતે સંકલનથી વેચાણ કરે છે. શહેરના 12 વોર્ડમાં 24 ટ્રેક્ટર અને ટેમ્પો દ્વારા સોસાયટીમાં જઈને વેચાણ કરવામાં આવે છે. ત્યારે હવે પોલીસના ડરના કારણે શાકભાજી ન વેચાવાનો નિર્ણય કરાતા પાલિકાના અધિકારીઓએ સમજાવવાના પ્રયાસ કર્યા છે.