ગુજરાત સહિત દેશભરમાં દિવસેને દિવસે કોરોના વાયરસ માથુ ઉંચકી રહ્યો છે ત્યારે રાજ્યમાં ગઇકાલે અમદાવાદ અને વડોદરા ખાતે લોકો અને પોલીસ વચ્ચે ઘર્ષણ જોવા મળ્યું હતું. જેમાં વડોદરા શહેરના પાણીગેટ વિસ્તારમાં પથ્થરમારાની ઘટના સામે આવી હતી. જેને લઇને આજે આ સમગ્ર વિસ્તારમાં રેપિડ એકશન ફોર્સ તૈનાત કરી દેવામાં આવી છે.
વડોદરામાં પોલીસની ટીમ પર પથ્થરમારાનો મામલો
પથ્થરમારો કરનારા પાંચ શખ્સોની ધરપકડ
માહોલ બગાડવા પથ્થરમારો કર્યો હોવાનું અનુમાન
વડોદરા શહેરના પાણીગેટમાં પોલીસ પર પથ્થરમારાની ઘટના બાદ સમગ્ર વિસ્તારને રેપિડ એક્શન ફોર્સને સોંપવામાં આવ્યો છે. આ સાથે પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. ગઇકાલની ઘટના બાદ પાણીગેટ પોલીસે 11 આરોપીઓની ધરપકડ કરી લીધી છે.
વડોદરા શહેરનો માહોલ બગાડવા પથ્થરમારો કરાયાનો ખુલાસો થયો છે. ઉલ્લેખનીય છે કે ગઇકાલે પોલીસ દ્વારા પતરા લગાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારો થયો હતો.
ઉલ્લેખનીય છે કે ગઇકાલે વડોદરા શહેરમાં પોલીસની ટીમ પર પથ્થરમારાને લઇને પોલીસ કડક કાર્યવાહી હાથ ધરી હતી. જેમાં ગઇકાલે જ પથ્થરમારો કરનારા પાંચ શખ્સની ધરપકડ કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસ દ્વારા માહોલ બગાડવા પથ્થરમારો કર્યો હોવાના અનુમાનને લઇને હાલ આ શખ્સોની પૂછપરછ કરવામાં આવી હતી.