વડોદરામાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં કૌભાંડ મામલે કલેક્ટર શાલીની અગ્રવાલ સ્થળ પર પહોંચ્યા હતા. સ્થળ વિઝીટ બાદ ઉકેલ લાવવા અંગેની દિશામાં કવાયત્ થાય છે.
વિવાદમાં ધારાસભ્ય યોગેશ પટેલ અને તત્કાલિન કમિશનર સંઘર્ષમાં આવ્યા હતા. કોર્પોરેશને કલેક્ટર હસ્તકની જમીન બિલ્ડરને ફાળવી દીધી હતી અને વિવાદ થતાં આખી યોજના પર બ્રેક લાગી ગયો હતો.
આપને જણાવી દઇએ કે 11 જાન્યુઆરીના રોજ વડોદરામાં સંજયનગર પ્રધાનમંત્રી આવાસ યોજનામાં બે હજાર કરોડના કૌભાંડનો પર્દાફાશ થયો.
કૌભાંડનો રેલો રાજકીય નેતાઓની નીચે આવતા નેતાઓએ આખોય દોષનો ટોપલો વડોદરાના મ્યુનિસિપલ કમિશનર પર ઢોળી દીધો હતો. આ સાથે જ સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલ અને તત્કાલિન કમિશનર વચ્ચે સંઘર્ષ પણ થયો હતો.
ત્યારે આજે આ મામલે વડોદરા જિલ્લાના કલેક્ટર શાલીની અગ્રવાલ પ્રધાનમંત્રી આવાસ યોજનાના સ્થેળ પહોંચ્યા હતા અને સ્થળ વિઝીટ કર્યા બાદ આ મામલાનો ઉલેક લાવવાની દિશામાં કવાયત હાથ ધરી હતી.
અત્રે જણાવી દઇએ કે PM આવાસ યોજનામાં કૌભાંડનો મામલો સામે આવ્યા બાદ આ યોજના પર બ્રેક લાગ્યો હતો. આ સાથે જ નગરજનોએ પણ વિરોધ દર્શાવ્યો હતો.