હાજર પદાધિકારીઓએ પટાવાળાને ગેટ બંધ કરવા આદેશ કર્યો, ફોટો સેશન થયા બાદ અડધા કાર્યક્રમે તાળું ખોલાયું
મન કી બાત માટે શિક્ષકોને રોકવા પડ્યા
શિક્ષકોએ બનાવ્યા અલગ અલગ બહાના
પ્યુને મુખ્ય દરવાજે લગાવ્યું તાળું
વડોદરામાં વડાપ્રધાન મોદીની PM મોદીની મન કી બાત કાર્યક્રમ માટે શિક્ષકોને રોકવા પડ્યા છે. શિક્ષકોએ મન કી બાત પહેલાં જ ચાલતી પકડી હતી. જેને લઇને પ્યુનને મુખ્ય દરવાજે તાળું મારવાની ફરજ પડી હતી. આજે વડાપ્રધાન મોદીએ મન કી બાદ કાર્યક્રમમાં સંબોધન કર્યું હતું. જેને લઇને વડોદરા મહાનગરપાલિકા સંચાલિત શિક્ષિત સમિતિએ તમામ શિક્ષકોને આ કાર્યક્રમ સાંભળવા માટે બોલાવ્યા હતા. આ દરમિયાન શિક્ષકોએ મન કી બાત ન સાંભળવા વિવિધ બહાના બનાવ્યા હતા. જેને લઈને પ્યુને શિક્ષકોને બેસવા આજીજી કરી હતી, તથા શિક્ષકોને રોકવા માટે મુખ્ય દરવાજે તાળું લગાવ્યું હતું.
હાજર પદાધિકારીઓએ પટાવાળાને કહ્યું ગેટ પર તાળું મારી દો
વડોદરાના ખંડેરાવ માર્કેટ નજીકની શાળામાં આજે મહાત્મા ગાંધી નિર્વાણ દિવસે પાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું જે બાદ જે બાદ PM મોદીના મન કી બાત કાર્યક્રમનું લાઇવ પ્રસારણ કરવાનું પણ આયોજન હતું પણ કાર્યક્રમ શરૂ થાય તે પહેલા જ કેટલાક શિક્ષકોએ ચાલતી પકડી હતી. હાજર નેતાઓનું ધ્યાન જતાં કાર્યક્રમમાં શિક્ષકોની હાજરી બતાવવા ગેટ પર હાજર પ્યૂનને ગેટ લોક મારી બંધ કરી દેવાનો આદેશ કરવામાં આવ્યો હતો જેથી શિક્ષકોને મરજી વિરુધ્ધ કાર્યક્રમ માટે બેસી રાખવામાં આવ્યા હતા.
શિક્ષકો વિવિધ બહાના હેઠળ નીકળવા મંડ્યા
પટ્ટાવાળાએ ગેટ પર તાળું લગાવી દીધું હોવાથી કાર્યક્રમમાં હાજર અનેક શિક્ષકોએ બહાર જવા માટે વિવિધ બહાના બતાવ્યા હતા. તેમાં એક શિક્ષિકાએ કહ્યું હતું કે, મારે મેડિકલ કામ છે તો ઘેર તાત્કાલિક જવું પડશે તો તો અન્ય એક શિક્ષિકાએ બહાનું કહ્યું કે મારે ઇમજન્સી છે મને જવા દેવામાં આવે તો અમુક શિક્ષકો તો એટલા હોશિયાર નીકળ્યા કે શ્રદ્ધાંજલિ બાદ ફટાફટ ગેટની બહાર જઈ કાર્યક્રમમાંથી ગુલ્લી મારી દીધી હતી.પણ ફોટો સેશન થયા બાદ અડધા કાર્યક્રમે જે શિક્ષકો જવા માંગતા હતા તેમણાં માટે ગેટ ખોલી નાખવામાં આવ્યો હતો.