નવા વર્ષ શરૂ થતાંની સાથે જ ગુજરાત સહિત દેશભરમાં ગમખ્વાર અકસ્માતોનાં સમાચાર આવી રહ્યાં છે. આવો જ ગમખ્વાર અકસ્માત ભાઈબીજના પવિત્ર દિવસે ઉદેપુર નજીક સર્જાયો છે. જેમાં 5લોકોનાં મોત નીપજ્યાં છે. મહત્વનું છે કે આ કાર વડોદરાની હતી. તેથી માનવામાં આવે છે કે મૃતકોમાં ગુજરાતી છે. આ ઘટનામાં 2 ઘાયલ થયાં હોવાનાં પ્રાથમિક અહેવાલ મળી રહ્યાં છે.
દેશમાં નવા વર્ષની શરુઆતમાં જ અનેક જગ્યાએ અકસ્માતનાં સમાચાર
ઉદેપુર નજીક અકસ્માતમાં 5નાં મોત
રાજસ્થાન અજમેર નજીક અકસ્માતમાં 3નાં મોત
મળતી માહિતી અનુસાર ટ્રક પાછળ કાર અથડાતા 5 લોકોના મોત નિપજ્યા છે. જાણવા મળી રહ્યું છે કે આ કાર વડોદરા પાર્સિગની હતી. ત્યારે આ ગુજરાતી પર્યટકો ફરવા ગયા તે દરમ્યાન ઉદેપુર પાસે અકસ્માત થયો હોવાનું અનુમાન છે. 3 પરિવાર બાળકો સાથે શ્રીનાથજી ગયા હતા. પાદરાના મીનેશ ગાંધી, દીક્ષિત પંચાલ સહિત 5 વ્યક્તિના મોત થયાં હતાં. જ્યારે એક બાળકીનો આબાદ બચાવ અને 2 મહિલાઓ ગંભીર ઇજાગ્રસ્ત છે. પોલીસે મૃતદેહોને પોસ્ટ મોર્ટમ માટે હોસ્પિટલમાં મોકલી આપ્યા છે. જ્યારે અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા 3 લોકોને ઉદેપુરની હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે.
નવા વર્ષે ભાવનગરમાં અકસ્માત
ઉલ્લેખનીય છે કે ગઈ કાલે ભાવનગરમાં અકસ્માતમાં 3 લોકોના મોત થયા હતાં. ગારીયાધાર - નાની વાવડી રોડ પર અકસ્માત થયો હતો જેમાં રોડ પર બાઇક સામ-સામે અથડાતા મોત થયાં હતાં.
રાજસ્થાનના અજમેર નજીક અકસ્માતમાં 3ના મોત
બેસતા વર્ષના દિવસે રાજસ્થાનમાં પણ અજમેર નજીક અકસ્માતમાં 3 લોકોના મોત નિપજ્યા હતાં. રોડ પડ પડેલા વાહનને બસચાલકે અડફેટે લીધું હતું. જેમાં 12થી વધુ લોકોને ઇજા પહોંચી હતાં. બસમાં રાસમંડળીના 40 લોકો સવાર હતા. જોરાવરનગર, અમાદાવાદ અને પોરબંદરના મુસાફરો બસમાં સવાર હતા. અને બિહાર ખાતે કાર્યક્રમમાં ભાગ લેવા જઇ રહ્યાં હતા.