વડોદરા: પાંચ હજાર કરોડનાં બેંક કૌંભાડમાં નાસતો ફરતો ઉદ્યોગપતિ નીતિન સાંડેસરા દેશ છોડીને ભાગી ગયો હતો અને હાલ તે નાઇજિરીયામાં હોવાની આશંકા છે. ગુજરાતમાં આવેલી ફાર્મા કંપનીનો ડિરેક્ટરની બેંક કૌભાંડમાં તપાસ ચાલી રહી છે.
આ મામલે CBIએ નાઈજીરિયા ઈન્ટરપોલ પાસે સાંડેસરાની માહિતી માગી હતી અને હાલમાં નીતિન સાંડેસરા પરિવાર સાથે નાઈજીરિયામાં હોવાની આશંકા છે. જોકે ભારતના નાઈજીરિયા સાથે કોઈ પ્રત્યાર્પણ સંધી નથી.
ઉલ્લેખનીય છે કે સાંડેસરાની કંપનીએ બેંકો પાસેથી રૂપિયા પાંચ હજાર કરોડની લોન લીધી હતી અને આ પછી આ કંપની ખોટ થતા નોન-પર્ફોમિંગ એસેટ બની હતી. આ કેસમાં ત્રણ વ્યક્તિઓની ધરપકડ થઇ છે.
આપને જણાવી દઇએ કે નીતિન સાંડેસરાએ ક્યારેક દવા વેચવાના કામથી વેપારની શરૂઆત કરી હતી. ત્યારબાદમાં તેલ રિયલ એસ્ટેટ ઘણા વેપાર શરૂ કર્યા. જાણવા મળી રહ્યું છે કે સાંડેસરાના વેપાર ભારત ઉપરાંત નાઇજીરિયા સંયપક્ત અરબ અમીરાત બ્રિટિશ વર્જિન આઇલેન્ડ અમેરિકા સેશલ્સ અને મોરિશસમાં ફેલાયેલો છે.
શું છે સાંડેસરા કૌભાંડ?
2014માં નીતિન સાંડેસરાએ ખોટી સંપતિઓ દર્શાવીને લોન લીધી.
આંધ્રબેંક અને એની સંબંધિત બેંકો પાસેથી 5 હજાર કરોડની લોન લીધી.
31 ડિસેમ્બર 2016એ લોન રૂ.5 383 કરોડ સાથે NPA જાહેર થઈ.
EDએ ખોટી રીતે લોન આપનાર બેંકના પૂર્વ ડાયરેક્ટર સામે કાર્યવાહી કરી.
આંધ્ર બેંકના પૂર્વ ડાયરેક્ટર અનૂપ ગર્ગ સામે કેસ નોધી કાર્યવાહી કરાઈ.
200 શેલ કંપનીઓ દ્વારા હવાલા કૌભાંડ મામલે CBIએ કાર્યવાહી શરૂ કરી.
નીતિન સાંડેસરા સહિત 25 જેટલા લોકો સામે મની લોન્ડરિંગની ફરિયાદ.
જૂન 2018માં સ્ટર્લિંગ બાયોટેક પ્લાન્ટ્સ વિવિધ શેર જપ્ત કરાયા.
સાથે જ 200 બેંક અકાઉન્ટ મળીને રૂ.4 700 કરોડની સંપત્તિઓ જપ્ત કરાઈ.
નીતિન સાંડેસરાના હવાલા ઓપરેટર જ્હોનીએ જાહેર કર્યુ.
જ્હોનીએ અહેમદ પટેલના ઘરે રૂપિયાથી ભરેલા બેગ પહોંચાડ્યા હતા.
અહેમદ પટેલના પુત્ર અને જમાઈ દ્વારા બેગ પહોચાડવામાં આવી હતી.