વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના સંક્રમિત થયા છે. આ અંગેની માહિતી ખુદ સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબુક દ્વારા પોસ્ટ કરીને અપી છે.
વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના સંક્રમિત થયા
સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબૂક પર પોસ્ટ કરી આપી માહિતી
રંજનબેન ભટ્ટ સારવાર માટે હોસ્પિટલમાં થયા દાખલ
ગુજરાતના અનેક નેતાઓ કોરોનાની વેક્સિન તો લઈ રહ્યા છે. પરંતુ વેક્સિન લીધા પછી પણ સંક્રમિત થઈ રહ્યા છે. વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ કોરોના સંક્રમિત થયા છે. આ અંગેની માહિતી ખુદ સાંસદ રંજનબેન ભટ્ટે ફેસબુક દ્વારા પોસ્ટ કરીને અપી છે. હાલ રંજનબેન ભટ્ટ સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયા છે.
મહત્વનું છે કે, 16 દિવસ અગાઉ વેક્સિનનો પ્રથમ ડોઝ લીધો હતો. તેમ છતાં રંજનબેન ભટ્ટ સંક્રમિત થયા છે. રંજનબેન ભટ્ટ શિવજી કી સવારીમાં હાજર રહ્યા હતા. વડોદરામાં કોરોનાના કહેરથી નેતાઓ પણ બાકાત નહીં.
વડોદરા મેયરે કોરોના સેન્ટરની મુલાકાત લીધી
વડોદરામાં વધતા સંક્રમણ મુદ્દે આજે શહેરના મેયર કેયુર રોકડીયા ગોત્રી ખાતે આવેલ કોવિડ કેર સેન્ટર ખાતે પહોંચ્યા હતા અને પોઝિટિવ દર્દીઓ સાથે મુલાકાત કરી તેમના ખબર અંતર પૂછ્યા હતા જે બાદ ડોકટર અને સ્ટાફ સાથે દર્દીઓ અને હોસ્પિટલની પરિસ્થિતિ અને સેવા મેડિકલ સ્ટાફની જરૂરિયાત અને કામગીરી ની સમીક્ષા કરી હતી મેયર સાથે વડોદરાના જાણીતા ડોકટર શીતલ મિસ્ત્રીએ પણ કોવિડ કેર ની મુલાકાત કરી હતી જે બાદ વિટીવી સાથે વાત કરતા મહત્વનું નિવેદન આપ્યું હતું
કોરોનાના વધતા કેસ વચ્ચે તંત્ર સક્રિય
વડોદરા શહેરમાં કોરોના બ્લાસ્ટ બાદ સફાળા જાગેલા પાલિકા અને વહીવટી તંત્રની આખ ખુલી હતી અને osd વિનોદ રાવ દ્વારા હાઈલેવલ બેઠકો બાદ શનિવાર અને રવિવાર સહિત બે દિવસ શહેરના મોલ અને મલ્ટીપ્લેક્ષ બંધ કરવા નિર્ણય કરવામાં આવ્યો હતો.