વડોદરા: સમગ્ર રાજ્યમાં વરસાદે વિરામ લીધા બાદ રોગચાળાએ માઝા મૂકી છે. ત્યારે હાલ સૌથી વધુ મચ્છરજન્ય રોગચાળો રાજ્યના અલગ અલગ શહેરોમાં જોવા મળી રહ્યો છે.
વડોદરાની સયાજી હોસ્પિટલમાંથી આરોગ્ય વિભાગની ટીમને રૂટીન ચેકિંગ દરમિયાન મચ્છરના લારવાનું બ્રિડિંગ મળી આવ્યું છે. હોસ્પિટલ નજીક થઈ રહેલા ઈમારતના કામકાજ દરમિયાન આ બ્રિડિંગ મળી આવતા આરોગ્ય વિભાગે કોન્ટ્રાકટરને નોટિસ ફાટવી આ દિશામાં કાયદેસરની કાર્યવાહી કરીછે.
મહત્વનું છે કે આરોગ્ય વિભાગની તપાસમાં જે બ્રડિંગ મળી આવ્યું છે તે એનોફિલિશ મનચ્છરનું હોવાનું સામે આવ્યું છે. જેથી સારવાર લઈ રહેલા દર્દીઓને મેલેરિયા જેવા ગંભીર રોગની બિમારી પણ થઈ શકે છે. તેથી હાલ આરોગ્ય વિભાગ આ દિશામાં સતર્ક છે અને કાયદેસરની કાર્યવાહી કરી રહી છે.