વડોદરા શહેરની સડકો પર લોકો પોતાના હકનું ભાડું લેવા માટે ઉમટ્યાં છે. કેમ કે આ લોકોએ પોતાના જીવનના આધાર જેવી મહામૂલી જમીન અને મકાન કોન્ટ્રાક્ટને આપી દીધા છે પરંતું કોન્ટ્રાક્ટર તેમને મકાન આપી શક્યો નથી. આથી નિયમ મુજબ આ લોકો પોતાનું ભાડું લેવા ઉમટ્યાં છે. ભાડું લેવા માટે ઊમટવાનો આ સિલસિલો છેલ્લાં બે વર્ષથી દર મહિને ચાલી રહ્યો છે.
રાજ્ય અને કેન્દ્ર સરકાર દ્વારા આવાસ યોજના (Awas Yojana) નો જોર શોરથી પ્રચાર કરવામાં આવે છે તે યોજના વડોદરા (vadodara) માં વિવાદમાં સપડાઈ છે. યોજના ગરીબોને આવાસ આપવાની છે પણ વડોદરામાં મહાનગરપાલિકાની મિલિભગત અને ઉદાસીનતાના કારણે આ યોજના જાણે મકાન છીનવવાની યોજના બની ગઈ છે...અને લાભાર્થીઓ દર મહિને ભાડા માટે કોન્ટ્રા~ટર પાસે ખોળો પાથરી રહ્યાં છે. ત્યારે જોઈએ આ અહેવાલ.
વડોદરા શહેરની સડકો પર લોકો પોતાના હકનું ભાડું લેવા માટે ઉમટ્યાં છે. કેમ કે આ લોકોએ પોતાના જીવનના આધાર જેવી મહામૂલી જમીન અને મકાન કોન્ટ્રાક્ટને આપી દીધા છે પરંતું કોન્ટ્રાક્ટર તેમને મકાન આપી શક્યો નથી. આથી નિયમ મુજબ આ લોકો પોતાનું ભાડું લેવા ઉમટ્યાં છે. ભાડું લેવા માટે ઊમટવાનો આ સિલસિલો છેલ્લાં બે વર્ષથી દર મહિને ચાલી રહ્યો છે.
તંત્રના ગેરવહીવટના કારણે અને કોન્ટ્રાક્ટરના અમાનવીય વલણના કારણે આવાસ લાભાર્થીઓને દર મહિને ભાડું મેળવવામાં પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડે છે. આાવાસ લાભાર્થીઓનું કહેવું છે કે, તેમને દરમહિને નહીં પરંતુ આખા વર્ષનું એક સાથે ભાડુ આપી દેવામાં આવે. જેથી દર મહિને કોન્ટ્રાક્ટર સામે હકના ભાડા માટે ઝોળી ન પાથરવી પડે. સરકારે આવાસ યોજના બનાવીને ગરીબોને સુવિધાયુક્ત આવાસ આપવાની મોટી-મોટી વાતો કરી હતી પરંતુ વડોદરાના આવાસ લાભાર્થીઓની મુશ્કેલી આ આવાસ યોજનાના કારણે જ સર્જાઈ છે.
કોન્ટ્રાક્ટરો દ્વારા આવાસ યોજના હેઠળ સમયસર મકાનો ન બનાવી શકતા સંજય નગર ઝુંપડપટ્ટીના 2 હજાર પરિવારો છેલ્લા બે વર્ષથી ઘરવિહોણા બન્યા છે. મહાનગરપાલિકાનાં ટેન્ડર મુજબ 18 મહીનામાં મકાનો બનાવીને ફાળવી દેવાના હતાં. જો કે આજે 2 વર્ષ થવા છતાં ગરીબોને આવાસ આપવામાં આવ્યા નથી અને સમયસર ભાડું પણ આપવામાં આવતું નથી.
લાભાર્થીઓ ભાડુ માંગવા જાય છે તો કોન્ટ્રાક્ટર ઓફિસ છોડીને ભાગી જાય છે. જેના કારણે આજે સંજયનગરની ઝુંપડપટ્ટીનાં ગરીબો કોન્ટ્રાકટરની ઓફિસે ધસી આવ્યા હતા અને પોતાની હૈયાવરાળ મીડિયા સામે ઠાલવી હતી. વડોદરા મનપાના અધિકારીઓ તેમજ કોન્ટ્રાક્ટરોની બેદરકારી અને ઘોર ઉદાસીનતાના કારણે આજે વડોદરાના ગરીબોને સહન કરવું પડી રહ્યું છે. ત્યારે ઘરના ઘરનું સપનું દેખાડનાર શાસકો વહેલી તકે આ બાબતમાં હસ્તક્ષેપ કરે તેવું લાભાર્થીઓ ઈચ્છી રહ્યાં છે.