ગુજરાતની દારૂબંધીના કાયદામાંથી મુક્તિ અપાવવા વડોદરામાંથી એક મહિનો શરૂ થાય છે.
દારૂબંધી મુક્ત ગુજરાત અભિયાન
વડોદરાથી શરૂ કરાયું ગ્રુપ
એક દિવસમાં 1 હજારથી વધુ કોલ આવ્યા
દારૂના કારણે રાજ્યમાં ભ્રષ્ટાચાર વધી રહ્યો છે અને ડુપ્લીકેટ દારૂ લોકો પી રહ્યા છે. તેમાં પણ દારૂ પીવા કે વેચવાથી પોલીસ પરેશાન કરતી હોય તો વડોદરામાંથી એક નંબર જાહેર કરવામાં આવ્યો છે અને એના ઉપર ફરિયાદ કરશો તો આ સંસ્થા મદદ પણ કરશે તેવી જાહેરાત કરવામાં આવી છે.
ગુજરાત રાજ્યમાં વર્ષોથી દારૂબંધી છે તેમ છતાંય અન્ય રાજ્યો કરતાં પણ વધારે પ્રમાણમાં ગેરકાયદેસર દારૂ વેચાઈ રહ્યો છે આ નીતિના કારણે રાજ્યની તિજોરીને દારૂના ટેક્સની આવક ગુમાવવી પડી છે અને દારૂબંધીના કારણે ભ્રષ્ટાચાર પણ વધી રહ્યો છે. સાથે જ ડુપ્લીકેટ દારૂ લોકોના પેટમાં જઈ રહ્યો છે. બધા સાથે લોકોને દારૂના નામે પોલીસ પરેશાન પણ કરી રહી છે. આ પરેશાનીમાંથી મુક્તિ અપાવવા વડોદરાના રાજીવ પટેલ અને તેમના સાથીઓ મેદાને પડયા છે.
મદદ માટે જાહેર કર્યો મોબાઈલ નંબર
તેમણે બે દિવસથી સોશિયલ મીડિયામાં પોતાનો એક નંબર જાહેર કર્યો છે અને દારૂ પીનાર કે વેચનારને કેસ લડવા માટે વકીલ સુધીની સુવિધા આપવામાં આવશે. જે નંબર જાહેર કરવામાં આવ્યો છે 9898333311 આ નંબર પર ફોન કરવાથી તમામ મદદ મળી રહેશે તેવી જાહેરાત કરવામાં આવી છે બે દિવસમાં આ નંબર પર 2000થી વધારે લોકો એ ફોન કરી ને સંપર્ક કરે છે.
શખ્સે આંકડાની ગણતરી સાથે જણાવ્યું દારૂ બંધી હટાવવાના ફાયદા
ગાંધીના ગુજરાતમાં દારૂબંધીના નામે મોટો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સાથે જ દારૂબંધીના કારણે ગુજરાત પાછળ ધકેલાઈ રહ્યું છે અન્ય દેશો અને અન્ય રાજ્યમાં જે રીતે વિકાસ થઈ રહ્યો છે તેમાં ગુજરાત પાછળ પડી રહ્યું છે. ગુજરાતમાંથી દારૂબંધી હટાવી દેવામાં આવે તો અનેક નવા સેક્ટરોમા રોજગારીની તકો વધશે અને ગુજરાતની સુખાકારી વધે છે. દારૂબંધીના કારણે માત્ર ઝેરી કેમિકલ છોડતા ઉદ્યોગો ગુજરાતમાં શરૂ થયા અને અન્ય સેક્ટરો ગુજરાતમાં વિકાસ પામી શક્યા નથી. એક અંદાજ પ્રમાણે ગુજરાતને દારૂના વેપારમાંથી ૪૦,૦૦૦ કરોડની એકસાઇઝની આવક થાય તેમ છે. આ આવક ગુજરાત ગુમાવી રહ્યું છે સાથે જ દારૂબંધી હોવાના કારણે દારૂ પીનાર અને વેચનાર પર પોલીસ અત્યાચાર કરે છે અને ભ્રષ્ટાચાર કરીને નાણાં પડાવે છે. ત્યારે વડોદરાના રાજીવ પટેલ અને એમના ગ્રુપના સભ્યો ગુજરાતમાંથી દારૂબંધી હટાવવાની મુહિમ ચલાવી રહ્યા છે. આ મુહિલ ના ભાગરૂપે છે તેમના સોશિયલ પ્લેટફોર્મ પર અનેક લોકો જોડાઇ રહ્યા છે.
દારૂબંધીના કારણે ગુજરાતમાં અનેક સમસ્યાઓ ઉદ્ભવી રહી છે તેવું રાજીવ પટેલ નું માનવું છે. કારણ કે ઉદ્યોગો સિવાય અન્ય સેક્ટરનો વિકાસ નથી થયો. લોકોને રોજગારીની તકો નથી મળતી. આ ઉપરાંત દારૂબંધીના કારણે કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર પણ થઈ રહ્યો છે. ત્યારે દારૂ પીવો કે નહીં પીવો એ ભારતના નાગરિકોનો અધિકાર છે તેનું પણ હનન થઈ રહ્યું છે.
રાજીવ પટેલ અને તેમનું ગ્રુપ આગામી સમયમાં સરકારો કે રાજકીય પક્ષોને આ બાબતે પુરાવા સાથે રજૂઆત કરશે અને જો કોઇ ઉકેલ ન આવે તો નાગરિકોને નોટાનો ઉપયોગ કરવા માટે પણ સમજાવશે હાલ તો રાજીવ પટેલે જાહેર કરેલા હેલ્પલાઇન નંબર પરના માત્ર વડોદરા પરંતુ રાજ્યભરમાંથી લોકો તેમની આ નવી ચળવળને સમર્થન કરી રહ્યા છે.
અભિયાનનો હેતુ શું ?
દારૂબંધી હોવા છતાં રાજ્યમાં દારૂનું બેફામ વેચાણ
દારૂબંધી હોવાથી રાજ્યને ટેક્સ મળતો નથી
દારૂબંધી હોવાથી નકલી દારૂનું વેચાણ વધ્યું
દારૂ માટે પોલીસ પણ લોકોને પરેશાન કરે છે
દારૂ પીનાર કે વેચાનાર સામે કેસ કરવા માટે સહાય મળશે