વડોદરામાં રખડતાં ઢોરે વધુ એક આધેડનો ભોગ લેતા વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો મચ્યો હતો અને હવે 3 થી વધુ ઢોરવાડા પાલિકા તંત્રએ પણ સીલ કર્યા છે.
વડોદરામાં ગાયની અડફેટે આધેડના મૃત્યુનો મામલો
સુભાનપુરા વિસ્તારમાં ઢોરવાડા સીલ કરવાની કાર્યવાહી
રખડતા ઢોરને મુદ્દો વડોદરા મનપાની સભામાં ઉઠ્ય
વડોદરાના સુભાનપુરા રાજેશ ટાવર રોડ પાસે ગઈકાલે રાત્રે બાઈક પર જઈ રહેલા જીગ્નેશભાઈ રાજપૂતને ગાયે અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો. જેમાં તે નીચે પટકાયેલા જીગ્નેશભાઈને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તેનું ઘટનાસ્થળે મોત નીપજ્યું હતું. આ કરુણ ઘટનાને લઈને વડોદરા પાલિકા તંત્ર રહી રહીને જાગ્યું છે. હવે તંત્ર દ્વારા આળસ ખંખેરી સુભાનપુરા વિસ્તારમાં ઢોરવાડા સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. તંત્રના અધિકારીઑ દ્વારા 3થી વધુ ઢોરવાડા સીલ મારવામાં આવ્યા છે. એટલું જ નહિ તંત્રને ભિસ પડતાં કોર્પોરેશનની ઢોરપાર્ટીની ટીમે અનેક ઢોર પણ પકડ્યા છે. આ દરમિયાન પશુપાલક અને કોર્પોરેશનની ટીમ વચ્ચે ઘર્ષણના પણ દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે લોકોમાં એ પણ સવાલ ઊભો થયો છે કે, કોઈ મોટી દુર્ઘટના ઘટે પછી કે તંત્રને કામગીરીનું શૂરાતન ચડે છે.?
વડોદરા મનપાની સભામાં ગાજ્યો રખડતા ઢોરનો મુદ્દો
બીજી તરફ રખડતા ઢોરનો મુદ્દો વડોદરા મનપાની સભામાં પણ ગાજ્યો હતો.રખડતાં ઢોરની અડફેટે આધેડનું મોત થયા બાદ આ મામલે વડોદરા કોર્પોરેશનની સામાન્ય સભામાં હોબાળો થયો હતો.વિપક્ષ નેતા અમીબેન રાવતે મુદ્દો ઉઠાવી આકરા પ્રહારો કરતાં સભામાં દેકારો બોલી ગયો હતો અને ભાજપ કોર્પોરેટર અને કોંગ્રેસ કોર્પોરેટર વચ્ચે આક્ષેપબાજી થઇ હતી. આ તકે વિપક્ષે મૃતકના પરિવારજનોને વળતર અને નોકરીની માંગ ઉઠાવી હતી.
વડોદરમાં ગઇકાલે ગાયે અડફેટે લેતા એક આધેડનું મોત થયા બાદ આજે ખોડિયારનગર રઘુકૂળ સ્કૂલ સામે રખડતી ગાયે વધુ એક વ્યક્તિને અડફેટે લીધા હતા જેમાં ગોરવા પોલીસ સ્ટેશનના હેડ કોન્સ્ટેબલને અડફેટે લેતા તેમને ઇજા પહોંચી હતી. આ અકસ્માતમાં કોન્સ્ટેબલ ભયલાલ રોહિતને ગંભીર ઇજા પહોંચી હતી જેથી તેઓને તાત્કાલિક સારવાર અર્થે લોહીલુહાણ હાલતમાં માંજલપુરની ખાનગી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા.
શું હતી સમગ્ર ઘટના ?
વડોદરામાં રખડતાં ઢોરના કારણે એક 48 વર્ષના વ્યક્તિનું મોત નિપજતાં તંત્ર પર અનેક સવાલો ઉઠી રહ્યા છે. સુભાનપુરા રાજેશ ટાવર રોડ પાસે નંદાલય હવેલી જવાના રોડ પર ગઈકાલે રાત્રે બાઈક પર જઈ રહેલા જીગ્નેશભાઈ રાજપૂતને ગાયે અડફટેટે લીધા હતા. જેના કારણે તેઓ નીચે પટકતા માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા જીગ્નેશભાઈનું ઘટનાસ્થળે મોત નીપજતા પરિવારમાં ભારે આંક્રદ છવાયો છે. જે રોડ પર ગાય સાથે જીગ્નેશભાઈનો અકસ્માત થયો ત્યાં કોર્પોરેશનની સ્ટ્રીટ લાઈટ પણ બંધ હતી. જેથી ઘોર અંધારું હોવાથી તેમને ગાય ન દેખાઈ અને તેવોનું અકસ્માત થતાં મોત નીપજ્યું હતું.
મૃતક પરિવારમાં એકમાત્ર કમાવનાર હતા. જેથી હવે તેમનું ઘર ચલાવનાર કોઈ અને મૃતકની 18 વર્ષની પુત્રીએ કહ્યું કે હવે અમારું ઘર કેવી રતે ચાલશે?, શહેરમાંથી રખડતાં ઢોરનો ત્રાસ ઓછો થવો જોઈએ. તેવી પરિવારની માંગ છે. આ અંગે કોર્પોરેશનના વિપક્ષ નેતા અમીબેન રાવતે મેયર અને મ્યુનિસિપલ કમિશનર સામે માનવવધનો ગુનો નોંધવાની માંગ કરી હતી.બીજી તરફ પોલીસના અધિકારીના જીગ્નેશ રાજપૂતના મોત મામલે મૂંઝવણમાં છે, જેમાં આધેડનું મોત ગાયના કારણે થયું કે કોઈ વાહન સાથે અથડાયા બાદ રોડ પર પટકાવવાથી થયું તે દિશામાં પોલીસ તપાસ કરી રહી છે.