વડોદરા: આ તરફ કુંવરજી બાવળીયા ભાજપમાં જોડાતા વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે નિવેદન આપ્યું છે. મધુ શ્રી વાસ્તવે કહ્યું કે કોળી સમાજના મતો મેળવવા બાવળીયાને આવકારીએ છીએ.
ઉલ્લેખનીય છે કે કોંગ્રેસના ધારાસભ્ય કુંવરજી બાવળીયાએ કોગ્રેસ સાથે નાતો છોડી ભાજપનો ખેસ ધારણ કર્યો છે. ભાજપનો ખેસ પહેરતા જ કુંવરજી બાવળીયાને મંત્રી પદ આપવામાં આવતા ભાજપના ધારાસભ્યોમાં નારાજગીનો દોર શરૂ થયો છે.
આપને જણાવી દઇએ કે વડોદરાના વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કુંવરજી બાવળીયાને મંત્રીપદ મળતા નારાજગી વ્યક્ત કરી છે. મધુભાઈએ કહ્યું કે ભાજપના સિનિયર ધારાસભ્યોને પણ મંત્રીપદ મળવું જોઈએ.
તેમણે વધુમાં જણાવેલ કે મેં પણ મંત્રી પદની માંગણી કરી હતી. મને મોવડી મંડળ પર વિશ્વાસ છે. મંત્રી પદ મને નહીં મળે તો મંદિરમાં જઈ મંજીરા વગાડીશું.
આપને જણાવી દઇએ કે સૌરાષ્ટ્ર કોંગ્રેસના દિગ્ગજ નેતા કુંવરજી બાવળીયાએ આજરોજ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યા બાદ ગુજરાતના રાજકારણમાં ગરમાવો ફેલાઇ જવા પામ્યો હતો જો કે વડોદરાના નારાજ થયેલા ધારાસભ્ય મધુ શ્રી વાસ્તવે એક નિવેદન આપી કુંવરજી બાવળીયને આવકાર્યા હતા અને પક્ષ માટેની પોતાની નારાજગી પણ વ્યક્ત કરી હતી.