કોઈ કૌભાંડ કરે તો સ્વાભાવિક છે કે, કૌભાંડીને સજા થવી જોઈએ. તે પછી આમ નાગરીક હોય કે નેતા. પરંતુ કોઈ કૌભાંડી સામે ફરિયાદ નોંધાય અને તેના બચાવમાં કોઈ સંગઠન સાવે તો. એટલું જ નહીં કૌભાંડીને બચાવવા તે સંગઠન એક આખા શહેરને ભળકે બાળકાની ધમકી આપે તો. આવું જ કાંઈક વડોદરામાં સામે આવ્યું હતું. જ્યાં રાજકીય નેતા ધર્મેન્દ્રસિંહનું ડીઝલ ચોરી કૌભાંડમાં નામ ખુલાત જ કરણી સેના તેના બચાવમાં સામે આવી છે. જોકે હાલ કરણીસેનાના રાજ શેખાવતની ધરપકડ કરવામાં આવી છે. ત્યારે શું છે સમગ્ર મામલો?
ભડકાઉ નિવેદન બદલ રાજ શેખવાત સામે ગુનો દાખલ
આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ મુદ્દે આપ્યું હતું નિવેદન
ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે એવું નિવેદન આપ્યું હતું
વડોદરામાં ઓઈલ ચોરી પ્રકરણમાં બહુચર્ચિત બનેલા કરણી સેનાના આગેવાન અને ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાના સમર્થનમાં રજૂઆત દરમિયાન વડોદરા ભડકે બળશે તેવી ચીમકી આપનાર કરણી સેનાના આગેવાન રાજ શેખાવત સામે વડોદરા ક્રાઈમ બ્રાન્ચે ગુનો દાખલ કર્યો હતો. ત્યારે હવે વડોદરા ક્રાઇમ બ્રાન્ચે તેમની ધરપકડ કરી છે. આરોપી ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ મુદ્દે તેમણે નિવેદન આપ્યું હતું કે, જો ધર્મેન્દ્રસિંહ વાઘેલાની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે. મહત્વનું છે કે, તેમણે કલેક્ટરને આવેદન પત્ર આપ્યા બાદ આ નિવેદન આપ્યું હતું. પોલીસ અને પ્રજા વચ્ચે દ્વેષ ઉભો કરવાના હેતુનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
મહત્વનું છે કે, જવાહર નગર પોલીસ અને પીસીબીએ નરેન્દ્ર રોડ લાયન્સના ગોડાઉનમાં દરોડો પાડી ઇન્ડિયન ઓઇલ કંપનીના ટેન્કરમાંથી ઓઇલ ચોરી કરવાની ફરિયાદ નોંધી હતી. ગોડાઉન કીપર તેમજ ટેન્કરના ડ્રાઈવર સામે ફરિયાદ કરી હતી.
પોલીસે ગોડાઉનના માલિક અને ભાજપના પૂર્વ અગ્રણી ધર્મેન્દ્રસિંહ વાઘેલાનું નામ પણ ફરિયાદમાં નોંધ્યુ હતું. જેના વિરોધમાં કરણી સેનાએ ગત 25મી જૂને કલેકટર કચેરી ખાતે આવેદનપત્ર આપી રાજકીય કિન્નાખોરી રાખી ફરિયાદ કરાઇ હોવાનો આક્ષેપ કર્યો હતો.
વડોદરા ક્રાઈમ બ્રાન્ચના જણાવ્યા અનુસાર, આ દરમિયાન કરણી સેનાના આગેવાન રાજ શેખાવતે ધર્મેન્દ્રસિંહની ધરપકડ થશે તો વડોદરા ભડકે બળશે. તેવું નિવેદન આપ્યું હતું. જેના આધારે પોલીસે રાજ શેખાવત સામે ગુનો દાખલ કર્યો હતો. ત્યારે હવે રાજ શેખાવતની ધરપકડ કરવામાં આવી છે.