વડોદરામાં ઉપવાસનાં નામે ગાંધીજીની પ્રતિમાનું અપમાન કરવામાં આવ્યું છે. ઉપવાસ સ્થળ પર ગાંધીજીની પ્રતિમાને મંડપ વડે ઢાંકી દેવામાં આવી હતી અને ત્યાર બાદ વિવાદ વધુ ઉભો થતાં પ્રતિમા પરથી બાંધેલો મંડપ છોડી દેવામાં આવ્યો હતો.
જો કે આ અંગે ભાજપ દ્વારા આ મામલે કોઇ પણ પ્રકારની પ્રતિક્રિયા જાહેર કરવામાં આવી નથી. પરંતુ મંડપ જે જગ્યાએ બાંધવામાં આવ્યો છે કે જ્યાં ઉપવાસ અને ધરણાં ધરવામાં આવ્યાં છે ત્યાં જ ગાંધીજીની વિશાળ પ્રતિમા છે કે જ્યાં મંડપ બાંધી દઇને ગાંધીજીની આખી પ્રતિમાને ઢાંકી દેવામાં આવી છે.
જ્યારે હવે આ વિવાદ વધુ સર્જાયો છે કેમ કે કોંગ્રેસે તો આ વિચારધારાને ગોડસેની વિચારધારા ગણાવી છે. જો કે આ વિવાદ વધારે સર્જાતા ચાલુ કાર્યક્રમમાં જ આ પ્રતિમા ઉપરથી મંડપને હટાવી દેવામાં આવ્યો હતો.
એટલે કે ભાજપે પોતાની જે ભૂલ છે તેને સ્વિકારી લીધી છે. ઉલ્લેખનીય છે કે આ વિવાદ સર્જાતા ભાજપનાં કાર્યકર્તાઓએ જ આ મંડપને હટાવી લીધો છે અને પ્રતિમાને ખુલ્લી કરી દેવાઇ છે.