વડોદરાની મહિલા અરજદારે તેના પાનકાર્ડમાં નામમાં સુધારો કરવા મુદ્દે આવકવેરા વિભાગના એનએસડીએલ ડિપાર્ટમેન્ટને અરજી કરી હતી. મહિલા અરજદારના વર્ષ 2015માં ડિવોર્સ થતાં તેણે પોતાના નામની પાછળ પતિનું નામ સુધારીને તેના સ્થાને ફરીથી પિતાનું નામ લગાવવા માટે આ અરજી કરી હતી. આધારકાર્ડમાં આ સુધારો કરી દેવાયો હતો તેની નકલ તેમજ ડિવોર્સ પેપર એનએસડીએલ વિભાગ સમક્ષ રજૂ કરવા છતાં પાનકાર્ડમાં એક વર્ષ સુધી આઈટી વિભાગે કોઈ જ સુધારો કર્યો ન હતો.
ઉલ્લેખનીય છે કે આ ઘટનાને પગલે અરજદાર મહિલાએ હાઈકોર્ટમાં અરજી કરતા કોર્ટે કેન્દ્રીય નાણામંત્રાલય વડોદરા આઈટી વિભાગ તેમજ આઈટીના પાનકાર્ડ સુધારણાની કામગીરી કરતા એનએસડીએલ વિભાગની પણ ઝાટકણી કાઢી છે. કોર્ટે પાનકાર્ડમાં 30 જૂન સુધીમાં ફેરફાર કરી દેવા આદેશ કર્યો છે. ઉલ્લેખનીય છે કે પાનકાર્ડમાં સુધારા કરવા માટેની હજારો અરજીઓ લાંબા સમયથી આઈટી વિભાગ સમક્ષ પેન્ડીંગ પડી છે.
આપને જણાવી દઇએ કે પાનકાર્ડમાં છપાયેલ નામમાં ઘણીવાર ફેરફાર આવતા હોવાથી અરજદારે સુધારો કરવા માટે અરજી કરવી પડે છે ત્યારે વડોદરાની એક મહિલા અરજદારને 2015માં પતિ સાથે ડિવોર્સ થતા તેણે પોતાના પાનકાર્ડમાંથી પોતાના પતિનું નામ હટાવી પોતાના પિતાનું નામ જોડવા માટે અરજી કરી હતી.
જો કે આ મહિલાએ પાનકાર્ડનાં નામમાં સુધારો કરવા માટે રજૂ કરવા પડતા તમામ દસ્તાવેજો અરજી સાથે બિડેલ હોવા છતાં આયકર વિભાગ દ્વારા સુધારો કરી આપવામાં નહીં આવતા મહિલાએ હોઇકોર્ટે અરજી કરી હતી જેના પગલે આ મામલે હાઇકોર્ટે મહિલા તરફી જવાબ આપી આઈટી વિભાગના પાનકાર્ડ સુધારણાની કામગીરી કરતાએનએસડીએલ વિભાગની પણ ઝાટકણી કાઢી હતી.