વડોદરા મનપા જાહેર કરેલા કોરોનાનો મૃત્યુઆંક પોલ ખોલતો હોય તેવો ઘાટ સર્જાયો છે. સત્તાવાર મૃત્યુઆંક 623 છે. જ્યારે SSG હોસ્પિટલમાંથી 2 હજાર કોવિડ ડેથ સર્ટિફિકેટ ઇશ્યુ કરાયા
વડોદરા મહાનગર પાલિકાનના ચોપડે સત્તાવાર મૃત્યુઆંક 623
જ્યારે SSG હોસ્પિટલમાંથી 2 હજાર કોવિડ ડેથ સર્ટિફિકેટ ઇશ્યુ કર્યા
સુપ્રીમ કોર્ટની ટકોર પછી સરકારે કોવિડ સહાયની યોજના શરૂ કરી છે
SSG હોસ્પિટલે 2 હજાર જેટલા કોરોના ડેથ સર્ટિફિકેટ ઈશ્યું કર્યા
વડોદરા મનપા જાહેર કરેલા કોરોના મૃત્યુઆંકની પોલ ખોલતો હોય તેવો ઘાટ સર્જાયો છે. વડોદરમાં કોરોના મૃત્યુ સહાય યોજનામાં કોરાનાથી મૃત્યુ પામેલા લોકોના ચોંકાવનારા આંકડા સામે આવ્યાં છે. મહત્વનું છે કે આ આંક સરકારે જાહેર કરેલા આંક કરતાં વધું છે. વડોદરા એસએસજી હોસ્પિટલમાંથી 2 હજાર જેટલા કોરોના ડેથ સર્ટિફિકેટ ઈશ્યું કરવામાં આવ્યા છે. જ્યારે મહાનગર પાલિકાએ સત્તાવાર રીતે 623 લોકોને કોરોનામાં મોત થઈ હોય તેમ મૃત્યુઆંક જાહેર કર્યો છે. જેને લઈને સરકારી આંક પર અનેક સવાલો ઉભા થઈ રહ્યાં છે.
કોરોનાની કામગીરીને લઈ સુપ્રીમ કોર્ટ પહેલેથી જ નારાજ
ઉલ્લેખનીય છે કે, કોરોના મૃત્યુના સર્ટિફિકેટની કામગીરીને લઈને ગુજરાત સરકાર સામે સુપ્રમી કોર્ટ તાજેતરમાં નારાજ થઈ હતી. મહત્વનું છે કે, સુપ્રીમ કોર્ટે રાજ્યમાં RTPCRના આધારે જિલ્લા સ્તરે વળતર આપવાના નિર્દેશો કર્યા હતાં.તેમજ કોરોના મૃત્યુ પામેલા લોકોના પરિજનોને વળતરની સહાય સરળતાથી મળે તે અંગે પણ આદેશ કર્યો હતો.
મૃતક પરિજનોને સહાયના ફોર્મનું વિતરણ શરૂ
બીજી તરફ કોરોનાની પ્રથમ લહેર અને બીજી લહેરમાં ગુજરાતમાં હજારો લોકોએ જીવ ગુમાવ્યા છે.આવા પરિવારોને સહાય માટે સરકારની જાહેરાત કરી હતી જે બાદ હવે ફોર્મ ભરવાની શરૂ કરવામાં આવી છે આ સહાય કોરોના થયાના ૩૦ દિવસમાં મૃત્યુના કેસમાં જ મળશે. આ માટે મૃતકના પરિવારજનોએ ડેથ સર્ટિફિકેટ માટે અરજી કરવી પડશે તેમજ જે પરિવારમાં મૃતકનું કારણ કોરોના ન હોય તેમાં અલગ ફોર્મ ભરવું જરૂરી બનશે. એટલું જ નહીં સરકાર દ્વારા નિયુક્ત સમિતિ દસ્તાવેજોની તપાસ કરશે બાદમાં 30 દિવસમાં સહાયના નાણાં લોકોને મળશે.