વડોદરા દુષ્કર્મના આરોપીઓને પકડવામાં પોલીસને 10 દિવસને અંતે સફળતા મળી છે ત્યારે આ કેસને ફાસ્ટટ્રેક કોર્ટમાં ચલાવીને તેનો ઝડપથી ચુકાદો લાવવાની કોશિશ કરાઈ છે પરંતુ આ કેસમાં દુષ્કર્મનો ભોગ બનેલી સગીરાની માતાનું કહેવુ છે કે, કોઈ કેસ ચલાવવામાં કે તપાસમાં સમય વેડફવાની જગ્યાએ આ લોકોને મોતની સજા આપો. દેહને અભડાવનારને દેહાંતદંડ આપો તો બીજા કોઈ બહેન દીકરીઓ ઉપર નજર બગાડતા સો વાર વિચાર કરશે. ભોગ બનનાર સગીરાએ પણ કહ્યુ નવલખીમાં લાવીને મૃત્યુદંડ આપો.
સગીરાની માતાનો આક્રોશ ફાટી નીકળ્યો
દીકરી સાથે દુષ્કર્મ આચરનાર માટે માંગી મૃત્યુદંડની સજા
કેસ અને તપાસને બદલે ફેસલો આપો
આજે ગુજરાતમાં વડોદરા દુષ્કર્મ કેસમાં બે આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે આ આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે બંને જણાએ પોણો કલાક સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. સગીરાના મિત્રને માર માર્યો હતો. નવલખી મેદાન જેવા વિસ્તારમાં જાહેરમાં આ કૃત્ય કરનાર આરોપીઓ સામે ગુજરાતની પ્રજાનો રોષ સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. ભોગ બનનાર સગીરાની પણ માંગ કે નવલખી મેદાનમાં લાવીને મોતની સજા આપો.
શું કહે છે સગીરાની માતા
ગુનેગારોને ગોળી એ દો અથવા ફાંસીએ ચઢાવી દો. તેમને જાહેરમાં મૃત્યુદંડ આપો. કેસ ચલાવવામાં અને તપાસમાં સમય પસાર કરવાથી આવા જઘન્ય અપરાધ કરનારની હિંમત વધશે. ખૂનની સજા મોત છે તો દુષ્કર્મની કેમ નહીં? મારી દીકરીના શરીર ઉપર જ નહીં પરંતુ તેની આત્મા ઉપર આ પાપીઓએ દુષ્કર્મ આચર્યુ છે.
સામાજીક કાર્યકરે કરી રજૂઆત
સામાજીક કાર્યકર શોભના રાવલે કરી રજૂઆત ભોગ બનનાર સગીરાની પણ માંગ નવલખી મેદાન ઉપર લઈ જઈને ગોળી મારી દો. હૈદરાબાદમાં જેમ થયુ તેમ ગુજરાતમાં થાય તો ગુનેગારોમાં ડર રહેશે બીજી વાર આવી રીતે કોઈ દીકરી સાથે દુષ્કર્મની ઘટના નહીં બને.
કોણ છે આરોપીઓ
કિશન કોળુભાઈ માથાસુરિયા 28 વર્ષનો જે આણંદના તારાપુરનો રહેવાસી છે. બીજો આરોપી છે જશો સોલંકી જે મૂળ રાજકોટના જસદણ ગામનો રહેવાસી છે. બંને આરોપીઓ મારામારી, ચોરી અને ઘરફોડ ચોરી જેવા ગંભીર ગુનામાં સંડોવાયેલા છે.