વડોદરામાં નવલખી મેદાન ખાતે થયેલા સામૂહિક દુષ્કર્મ મામલે ક્રાઈમ બ્રાન્ચે 2 આરોપીઓની ધરપકડ કરી છે. 14 વર્ષની સગીરા ઉપર હેવાનોએ દુષ્કર્મ આચર્યુ હતુ. બાળકીના વર્ણને આધારે આરોપીઓના સ્કેચ તૈયાર કરવામાં આવ્યા હતા જેને આધારે પોલીસે બે આરોપીઓની ધરપકડ કરી છે.
ગૃહરાજ્યમંત્રી ગયા હતા મુલાકાતે
થ્રીડી સ્કેચ સાથે આરોપીના 95 ટકા ચહેરા મેચ થયા
45 મિનિટ સુધી આચર્યુ હતુ દુષ્કર્મ
વડોદરાના નવલખી કંપાઉન્ડમાં સગીરા પોતાના મંગેતર સાથે બેઠી હતી ત્યાંરે બે યુવાનો પોલીસ છે તેવી ઓળખાણ આપીને આવ્યા હતા અને સગીરાના મંગેતરને લાકડીથી માર માર્યો હતો. ત્યારબાદ સગીરાને ખેંચીને થોડે દૂર લઇ ગયા હતા, જ્યાં 45 મિનિટ સુધી બંને યુવાનોએ દુષ્કર્મ ગુજાર્યું હતું. તેઓ દુષ્કર્મ ગુજાર્યા બાદ પીડિતાને ત્યાં જ મૂકીને ફરાર થઇ ગયા હતા.
12 વાગે પોલીસ કરશે કોન્ફરન્સ
ક્રાઈમબ્રાન્ચ પોલીસ આ અંગે પત્રકાર પરિષદ યોજીને માહિતી આપવાની છે જેમાં આરોપીઓ વીશે માહિતી આપવામાં આવશે.
થ્રીડી સ્કેચ સાથે શકમંદોના 95 ટકા ચહેરા મેચ થયા
આ દરમિયાન મંગેતરે પોલીસને પણ જાણ કરી હતી. 14 વર્ષની સગીરાના વર્ણન પ્રમાણે પોલીસે સુરતના થ્રીડી આર્ટિસ્ટ પાસે નવા સ્કેચ તૈયાર કરાવ્યા હતા. આ સ્કેચ આરોપીઓના ચહેરાથી 65 ટકા મેચ થયા હતા.
ગૃહરાજ્યમંત્રી ગયા હતા મુલાકાતે
આ ઘટનામાં ગૃહ રાજ્યપ્રધાન પ્રદીપસિંહ જાડેજા વડોદરા દોડી ગયા હતા. પોલીસ કમિશનર અનુપમ ગહેલોતે બળાત્કારીઓને ઝડપી પાડવા ૩૦૦થી વધુ શકમંદને રાઉન્ડઅપ કર્યા છે. સગીરા પર સામૂહિક બળાત્કાર ગુજારનાર નરાધમો આ વિસ્તારથી પૂરેપૂરા વાકેફ હોવાનું નિવેદન આપ્યું હતું.