રાજ્યભરમાં વરસાદી માહોલ છવાયેલો છે. મેઘરાજાએ ક્યાંક મહેર તો ક્યાંક વર્તાવ્યો છે. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં પડેલા વરસાદના કારણે અનેક વિસ્તારોમાં લોકોને વિપરીત અસરો પડી છે. વડોદરામાં ભારે વરસાદના પગલે વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવી છે. નદીના પાણી 30 ફૂટની સપાટી પર છે. ત્યારે ફરી એક વખત વડોદરામાં પૂરનું સંકટ છે.
વિશ્વામિત્રી નદી 30 ફૂટની સપાટી વટાવતાં તંત્ર અલર્ટ થઇ ગયું છે. ઉપરવાસમાં ભારે વરસાદથી આજવા સરોવરનું લેવલ 212 ફૂટે પહોંચ્યુ છે. જેથી તેનું પાણી વિશ્વામિત્રી નદીમાં આવ્યુ છે. હાલ વિશ્વામિત્રી પર આવેલા 8 બ્રિજ બંધ કરી દેવાયા છે.
વિશ્વામિત્રી નદીએ ભયજનક સપાટી વટાવતાં નીચાણવાળા વિસ્તારોમાં ભરાયા છે. પરશુરામ ભઠ્ઠા, સામ વિસ્તાર અને નિઝામપુરામાં પાણી ઘુસ્યા છે. સયાજીબાગના હરણ ખાનામાં વિશ્વામિત્રી નદીના પાણી ઘુસ્યા છે.
વિશ્વામિત્રી નદી નજીક ઝૂંપડપટ્ટી વિસ્તાર પણ પાણીમાં ગરકાવ થયો. જેને લઈને તંત્રએ 11 હજાર લોકોને સલામત સ્થળે ખસેડ્યા છે. પેન્શનપુરા, નવીનગરી, જલારામ નગર સહિતની વસાહતોમાંથી લોકોનુ સ્થળાતંર કરવામાં આવ્યુ છે. જો કે ફરી એકવાર ભારે વરસાદના કારણે વડોદરામાં પૂરની સ્થિતિ સર્જાઈ આથી લોકો અકળાયા છે. તંત્રએ કોઈપણ પ્રકારની સાવચેતીના પગલા ના ભર્યા હોવાનો પણ સ્થાનિકોએ આક્ષેપ કર્યો હતો.