વડોદરાઃ શહેરના શિનોરમાં ખેત તલાવડી કૌભાંડ મામલે ACBએ કાર્યવાહી હાથ ધરી છે. 3 અધિકારીઓ સહિત કોન્ટ્રાક્ટર સામે ફોજદારી ગુનો દાખલ કરવામાં આવ્યો છે. તત્કાલીન મદદનીશ નિયામક કે.જી.ઉપાધ્યાય સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે. સાથે સાથે ફિલ્ડ સુપર વાઇઝર કે.જે. શાહ અને ડી.પી. રાઠવા સામે પણ ગુનો નોંધાયો છે.
ઉલ્લેખનીય છે કે કાગળ પર ખેત તલાવડી બનાવી નાણાંની ઉચાપત કરી હતી. તેમણે બે લાખથી વધુના ખોટા બીલો રજૂ કર્યા હતા. વડોદરાના શિનોરમાં સુરાસામળ ગામે આ કૌભાંડ આચરવામાં આવ્યું હતું.
મહત્વનું છે કે ખેતરોમાં કાગળ પર જ ખેત તલાવડી બતાવી સરકાર સાથે લાખોની ઠગાઈ કરી હતી. બે લાખથી વધુ ખોટા બીલો રજૂ કરાયા હતા.
શિનોરના બરકાલ ગામના ૪ સર્વે નંબરોના ખેતરોમાં ખેડૂતોએ ખેત તલાવડી બનાવવા ક્યારેય અરજી કરી ન હતી. તેમ છતાં તેમની જાણ બહાર જમીન વિકાસ નિગમના ૬ ભ્રષ્ટ્ર કર્મચારીઓએ ખેત તલાવડી યોજના માત્ર કાગળ બતાવી હતી.