વડદરામાં પરિવારના સામૂહિક આપઘાત કેસમાં એક નવો વળાંક આવ્યો છે.
વડોદરામાં સામુહિક આત્મહત્યાનો મામલો
જ્યોતિષીઓને પકડવા પોલીસે 3 ટીમો બનાવી
અમદાવાદના 6 અને વડોદરાના 2 જ્યોતિષીઓના નામ
વડોદરામાં સોની પરિવારના સામૂહિક આત્મહત્યાના પ્રયાસનો મામલો સામે આવ્યો છે. જ્યોતિષીઓને પકડવા પોલીસે 3 ટીમો બનાવી છે. અમદાવાદના 6 અને વડોદરાના 2 જ્યોતિષીઓના નામ સામે આવ્યા છે.
વડોદરા પોલીસની ટીમના અમદાવાદમાં ધામા
વડોદરા પોલીસે અમદાવાદમાં ધામા નાંખ્યા છે. વાસ્તુદોષ કરાવવાના બહાને જ્યોતિષીઓએ નાણાં પડાવ્યા છે. ફરિયાદમાં જ્યોતિષીઓએ 35 લાખ પડાવ્યાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
પોલીસને ફોન કરીને આ જાણ કરી
એક જ પરિવારના 6 સભ્યોએ સુસાઇડનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 3ના મોત થયા છે. જ્યારે 1 પુરુષ અને 2 મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘરના મોભીએ જ 100 નંબર પર પોલીસને ફોન કરીને આ જાણ કરી હતી કે આ પ્રકારની ઘટના બની છે.
કોણ છે આ પરિવાર?
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામુહિક આપઘાત પ્રયાસ કર્યો છે. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3ના મોત થયા છે જ્યારે 3ની હાલત ગંભીર છે.
1. સમીર જોષી, રહે રાણીપ, અમદાવાદ
2. હેમંત જોષી, ગોત્રી કેનાલ પાસે, વડોદરા
3. વિજય જોષી, અમદાવાદ
4. અલકેશ જોષી, અમદાવાદ
5. સાહિલ વોરા, આર્યુવેદીક ત્રણ રસ્તા, વડોદરા
6. સ્વરાજ જ્યોતિષ, અમદાવાદ
7. પ્રહલાદ, અમદાવાદ
8. દિનેશ, અમદાવાદ
9. અજાણ્યો સક્ષ, પુષ્કર