વડોદરામાં સામૂહિક આપઘાતનો મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે.
9 જેટલા જયોતિષીઓએ 32 લાખ રૂપિયા પડાવ્યા હતા
સમા પોલીસે કેટલાક જયોતિષીઓ સામે ગુનો નોંધ્યો
મૃતક નરેન્દ્ર સોની સામે પણ પૌત્રને ઝેરી દવા આપીને હત્યા કર્યાનો ગુનો નોંધ્યો
વડોદરામાં સામૂહિક આપઘાતનો મામલે મોટો ખુલાસો સામે આવ્યો છે. મૃતકના દિકરાનું મેજીસ્ટ્રેટની હાજરીમાં નિવેદન લેવાયું છે. મૃતક નરેન્દ્ર સોનીની આર્થિક સ્થિતિ ડામાડોળ હતી. ઘર વેચવા માંગતા હતા પરંતુ ઘર વેચાતું નહતું અને ઘર વેચાય એ માટે કેટલાક જયોતિષીઓનો સંપર્ક કર્યો હતો.
9 જેટલા જયોતિષીઓએ 32 લાખ રૂપિયા પડાવ્યા
જયોતિષીઓએ વાસ્તુદોષ નિવારણના નામે મસમોટી રકમ લીધી હતી. 9 જેટલા જયોતિષીઓએ 32 લાખ રૂપિયા પડાવ્યા હતા. સમા પોલીસે કેટલાક જયોતિષીઓ સામે ગુનો નોંધ્યો છે. મૃતક નરેન્દ્ર સોની સામે પણ પૌત્રને ઝેરી દવા આપીને હત્યા કર્યાનો ગુનો નોંધ્યો છે.
કયા કયા જ્યોતિષે પડાવ્યા પૈસા?
ગોત્રી કેનાલ પાસે રહેતા જ્યોતિષ હેમંત જોષીએ 35 હજાર પડાવ્યા હતા
અમદાવાદના પ્રહલાદ નામના જ્યોતિષે રૂ,2 લાખ પડાવ્યા હતા
જ્યોતિષ પ્રહલાદે દિનેશ નામના માણસને મોકલી વિધી કરાવી હતી
એક જ પરિવારના 6 સભ્યોએ સુસાઇડનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 3ના મોત થયા છે. જ્યારે 1 પુરુષ અને 2 મહિલાને હોસ્પિટલ ખસેડાયા છે. પ્રાથમિક માહિતી અનુસાર, ઝેરી દવા પીને આત્મહત્યાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, ઘરના મોભીએ જ 100 નંબર પર પોલીસને ફોન કરીને આ જાણ કરી હતી કે આ પ્રકારની ઘટના બની છે.
કોણ છે આ પરિવાર?
વડોદરાના સમા વિસ્તારમાં રહેતા સોની પરિવારે સામુહિક આપઘાત પ્રયાસ કર્યો છે. સ્વાતિ સોસાયટીમાં રહેતા નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિત 6 લોકોએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો. 6 માંથી 3ના મોત થયા છે જ્યારે 3ની હાલત ગંભીર છે.