વડોદરાના નવાપુરા વિસ્તારમાં દુષિત પાણીના કારણે લોકોને ઝાડા ઉલ્ટી થયા છે. જેના કારણે 4 વર્ષની બાળાનુ અને એક વૃદ્ધનું મોત થયુ છે. શહેરના નવાપુર અને નવાયાર્ડ વિસ્તારમા દુષિત પાણીની સમસ્યા હોવાથી લોકો પરેશાન થયા છે.
આ મામલે સ્થાનિકો દ્વારા ઘણી વખત કોર્પોરેશનના અધિકારીઓને રજૂઆત કર્યા બાદ પણ કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેના કારણે હવે 50 જેટલા લોકો હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા છે.
સમગ્ર ઘટના વિશે જણાવીયે તો વડોદરાના નવાપુરા વિસ્તારમાં દુષિત પાણીના કારણે ઝાડા ઉલટીનો વાવર વકરતા બે લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. તો 50થી વધુ લોકો હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયા છે.
નવાપુરા વિસ્તારમાં આવેલા કહાર મહોલ્લો અને ગોદડિયા વાસમાં છેલ્લા 15 દિવસથી દુષિત પાણી આવી રહ્યું છે. જેના કારણે સમગ્ર વિસ્તારમાં ઝાડા ઉલટીનો રોગચાળો વકર્યો છે.
ઝાડા ઉલટીની લપેટમાં 50થી વધુ લોકો આવ્યા છે. જેમને સારવાર માટે ખાનગી હોસ્પિટલોમાં ખસેડાયા છે. ઝાડા ઉલટીથી કહાર મહોલ્લાની 4 વર્ષની નતાશા કહારનુ મોત નિપજયું છે. બાળકીના પરિવારજનો મોત માટે કોર્પોરેશન તંત્રને જવાબદાર ઠેરવી રહ્યા છે.
બીજી તરફ ગોદડિયા વાસમાં 75 વર્ષના વૃદ્ધ શાન્તુભાઈનું પણ ઝાડા ઉલટીના કારણે મોત નિપજ્યુ હોવાનું પરિવાર આક્ષેપ કરી રહ્યો છે.
કોગ્રેસ કોર્પોરેટરે સમગ્ર મામલે સ્થાનિકોએ અનેકવાર રજુઆત કરી હોવા છતાં દુષિત પાણીની સમસ્યાનું નિરાકરણ ન આવ્યું હોવાનુ જણાવ્યુ હતું.
રોગચાળો વકરતા આરોગ્યની ટીમો દોડતી થઈ છે. આરોગ્યની ટીમોઓ લોકોને દવાનું વિતરણ કર્યું છે અને સાથે જ ઘરે-ઘરે જઈ સર્વે કર્યો છે.
લોકો ઉરપાંત પાણીઓ પણ રોગચાળાની લપેટમાં આવી રહ્યા છે. જ્યારે એક ખાનગી તબિબને ત્યા 15 દિવસમાં 300થી વધુ દર્દીઓને સારવાર આપવામાં આવી છે.
મહત્વની વાત છે કે બે લોકોના મોત નિપજ્યા બાદ એક પણ કોર્પોરેશનના અધિકારી કે શાસકો વિસ્તારની મુલાકાત લેવા નથી આવ્યા. ત્યારે શું કોર્પોરેશન તંત્રને સ્થાનિક લોકોના જીવનની કોઈ જ કિમત નથી તે સવાલો ઉઠી રહ્યા છે.