વડોદરા પાલિકા દ્વારા કરોડો રૂપિયાના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. રાજ્યની વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદીના હસ્તે આ લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વડોદરા પાલિકા દ્વારા કરોડો રૂપિયાના વિકાસના કામોનું લોકાર્પણ
વડોદરા પાલિકા દ્વારા સમાથી હરણીને જોડતા બ્રિજનું લોકાર્પણ કરાયું છે. આ 2.5 કિમીનો બ્રિજ જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જ્યારે બીજી તરફ વિશ્વામિત્રી રેલવે બ્રિજનું વાઇડિંગનું કામ પણ પૂર્ણ થઇ ગયું છે. 74.97 કરોડમાં બનેલા આ રેલવે બ્રિજના વિકાસના કામનું લોકાર્પણ કરવામાં આવ્યું છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા છેલ્લા કેટલા વર્ષોથી વિકાસ લક્ષી કામો માટે જાહેર કરવામાં આવી હતી. જે આજરોજ તમામ કામો પૂર્ણ કરવામાં આવતાં જાહેર જનતા માટે ખુલ્લા મુકવામાં આવ્યાં છે.
જેમાં 13.80 કરોડના ખર્ચે તૈયાર કરાયેલા સમાથી હરણીને જોડતા બ્રિજેને આજે જાહેર જનતા માટે ખુલ્લો મુકવામાં આવ્યો છે. જેનું નામ ચેતક બ્રિજ આપવામાં આવ્યું છે.
આ સાથે 32 કરોડના ખર્ચે વિશ્વામિત્રી રેલવે બ્રિજના વાઇડિંગનું કામ પૂર્ણ કરી દેવામાં આવ્યું છે, આ સાથે 29.17 કરોડના વિવિધ વિકાસ લક્ષી કામો જાહેર જનતાને સોંપવામાં આવ્યાં છે. આમ કુલ 74.97 કરોડના વિકાસ લક્ષી કામોનું વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યાં.