વડોદરાના આજવા રોડ પર યુવકનો મૃતદેહ મળી આવ્યો. અંબિકા દર્શન સોસાયટીમાં રહેતા એક યુવાનની લાશ મળી આવતા પ્રથમ રીતે હત્યા કરવામાં આવી હોય તેવું લાગી રહ્યું છે.જો કે બાપોદ પોલીસે ઘટનાસ્થળે તપાસ હાથ ધરી હતી. મૃતદેહ પર ઈજાના નિશાન મળતા પોલીસને હત્યાની આશંકા જણાઇ રહી છે. મૃતક સુનિલ ગોસ્વામીનો છેલ્લા 2 વર્ષથી પત્નીથી અલગ રહેતા હતાં. પત્ની સાથે વિવાદ બાદ સુનિલ ગોસ્વામી અલગ રહેતા હતાં.
ઉલ્લેખનીય છે કે વડોદરાના આજવા રોડ પર પત્નીથી અલગ રહેતા યુવાનની હત્યા કરેલી લાશ મળી આવતા નજીકના પોલીસ મથકથી કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને પ્રાથમિક તપાસ હાથ ધરતા મૃતક યુવાન કૌટુંબિક ઝઘડાને કારણે પત્નીથી અલગ રહેતો હોવાનું ખુલવા પામ્યું હતું.
જો કે આ યુવાનની હત્યા પાછળ કોનો હાથ છે અને કોણ-કોણ સંડોવાયેલું છે તે અંગે વડોદરાના આજવા મથકે ફરિયાદ નોંધીને પોલીસે તપાસ હાથ ધરી છે.રાજ્યમાં હત્યાના બનાવો દિવસેને દિવસે વધતા જાય છે ત્યારે કાયદો અને વ્યવસ્થા જાણે અભેરાઇ પર મુકીને આવી ઘટનાને અંજામ આપાઇ રહી હોય તેવું લાગી રહ્યું છે.