ઓમિક્રોનને લઇ ગુજરાત સરકાર દ્વારા ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હોવા છતાં પણ રાજકોટના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે.. આખરે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર આખરે ક્વોરન્ટાઈન થયા
ઓમિક્રોનને લઇ તંત્ર કેમ નથી ગંભીર?
રાજકોટ આરોગ્ય વિભાગની બેદરકારી
UKથી આવેલા પ્રોફેસર ખુલ્લેઆમ ફર્યા
UKથી પર આવલા સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર આખરે ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે, મીડિયાના અહેવાલ બાદ પ્રોફેસર ડી.જી.કુબેરકર ક્વોરન્ટાઇન થયા છે. મહત્વનું છે કે રાજ્યમાં ઓમિક્રોન વેરિએન્ટની દહેશતને પગલે રાજ્ય સરકાર દ્વારા એક ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે ત્યારે UKથી પરત ફરેલા એક પ્રોફેસર ક્વોરન્ટાઈન ન થતા સમગ્ર મામલે મીડિયામાં એક અહેલાલ પ્રસારિત થયો હતો જે બાદ રાજકોટ મનપાના આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને આખરે આરોગ્ય વિભાગે લોહીના સેમ્પલ લઈ લેબોરેટરીમાં મોકલ્યા હતા, હવે આ પ્રોફેસરનો ફરી આવતા શનિવારે ફરી RT-PCR ટેસ્ટ કરવામાં આવશે, હાલ 12 હાઈ રિસ્ક દેશથી આવતા લોકોને ક્વોરન્ટાઇન કરવામાં આવી રહ્યું છે ત્યારે UKથી ફરત આવેલા પ્રોફેસરની ક્વોરન્ટાઈન કરવામાં આવ્યા છે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર આખરે ક્વોરન્ટાઈન થયા
સમગ્ર વિશ્વમાં ઓમિક્રોનની દહેશત જોવા મળી રહી છે. ઓમિક્રોનને લઇ ગુજરાત સરકાર દ્વારા ચોક્કસ ગાઇડલાઇન જાહેર કરવામાં આવી હોવા છતાં પણ રાજકોટના આરોગ્ય વિભાગની ગંભીર બેદરકારી સામે આવી છે. UKથી પરત આવેલા પ્રોફેસર ડી જી કુબેરકરને રાજકોટના આરોગ્ય વિભાગે ક્વોરોન્ટાઇન ન કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. UKથી આવેલા પ્રોફેસર હાલ યુનિ.માં હાજર થયા હતા એટલું જ નહીં તેઓ અન્ય પ્રોફેસરો અને વિદ્યાર્થીઓ સાથે પણ સંપર્કમાં આવ્યા હતા. મહત્વનું છે કે કોરોનાના નવા વેરિએન્ટે દેશ અને દુનિયામાં ફરી દહેશત ફેલાવી છે, કોરોનાનો ઓમિક્રોમ વેરિએન્ટ એ ડેલ્ટી વેરિએન્ટ કરતા પણ વધુ ઘાતક માનવામાં આવે છે, તે ઝડપીથી ફેલાય છે, ત્યારે આરોગ્ય વિભાગની આ ગંભીર બેદરકારી કેટલી મોંઘી પડી શકે તેને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે, આરોગ્ય વિભાગની બેદરકારી સામે લોકોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે.
UKથી આવેલું દંપતી કોરોના સંક્રમિત
અહીં ઉલ્લેખનિય છે કે UKથી વડોદરા આવેલા વૃદ્ધ દંપતી કોરોના સંક્રમિત હોવાથી દંપતી ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યું હતું, એટલું જ નહીં વડોદરા મનપાએ 25 બેડનો વોર્ડ ખાલી કરી બન્નેની અલાયદું વ્યવસ્થા કરી આપી હતી. દંપતીને એરપોર્ટથી સીધા હોસ્પિટલમાં આઈસોલેટ કરાયા હતા તેમજ વૃદ્ધ દંપતી પર નજર રાખવા હોસ્પિટલ રૂમમાં કેમેરા મુકી દેવામાં આવ્યા હતા. હાલ તો વૃદ્ધ દંપતીના સેમ્પલ પૂણેની લેબમાં મોકલાયા છે, મહત્વનું છે કે ઈંગ્લેન્ડમાં વૃદ્ધ દંપતીનો કોરોના રિપોર્ટ નેગેટિવ આવ્યો હતો પરતું અમદાવાદ એરપોર્ટ પર બન્નેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે, જેથી આરોગ્ય વિભાગ અગમચેતી રૂપ પલગા લેવામાં આવ્યા છે. ત્યારે રંગીલા રાજકોટમાં આરોગ્ય વિભાગે Kથી પરત આવેલા પ્રોફેસરને ક્વોરોન્ટાઈ ન કરતા અનેક સવાલો ઉઠી રહ્યા છે.