ગુજરાતમાં હાલ કોરોના બેકાબુ જોવા મળી રહ્યો છે. ત્યારે સરકાર દ્વારા રાજ્યના 4 મહાનગરોમાં રાત્રિ કર્ફ્યુ જાહેર કરવામાં આવ્યો છે. ત્યારે વડોદરામાં પણ કોરોનાને લઇને સ્થિતિ બેકાબુ જોવા મળી રહી છે. ત્યારે તંત્રની આરોગ્ય વિભાગની 800 ટીમો ઘરે-ઘરે જઇને કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓની તપાસ કરશે.
વડોદરામાં કોરોના પર કાબૂ મેળવવા તંત્રની કવાયત
આરોગ્ય વિભાગ દ્રારા ડોર ટુ ડોર સર્વેની કામગીરી
કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓની કરાશે તપાસ
વડોદરા શહેર તેમજ જિલ્લામાં કોરોના બેકાબુ જોવા મળતા તંત્ર એકશન મોડમાં આવી ગયું છે. તંત્ર દ્વારા આરોગ્યની 800 ટીમો ઘરે-ઘરે જઇને સર્વેની કામગીરી કરશે. આરોગ્યની ટીમ કોરોનાના લક્ષણ ધરાવતા દર્દીઓની તપાસ કરશે. હાલ છેલ્લા 8 દિવસમાં 18 લાખ લોકોની તપાસ થઇ ચુકી છે.
વડોદરામાં રાત્રી કર્ફ્યુંના કારણે હોટલ સંચાલો મુશ્કેલીમાં મુકાયા છે. હોટલ સંચાલકોના જણાવ્યાં મુજબ અનલોકમાં જામેલો ધંધો ફરૂ તૂટ્યો છે. કેટલીક રેસ્ટોરાંમાં 50 ટકા સ્ટાફ ઓછો કરાયો. રાત્રિ પાર્ટી, બર્થ ડે પાર્ટી અને સગાઇના અનેક બુકિંગ મળ્યાં હતા. શહેરમાં રાત્રિ કર્ફ્યુંના કારણે તમામ બુકિંગ કેન્સલ કરવામાં આવ્યાં.