વડોદરા: શહેર કોંગ્રેસના મહામંત્રીએ વિવાદિત પોસ્ટ કરી છે. આ પોસ્ટમાં પીએમ મોદીને દેવી દેવતા સાથે સરખાવ્યા છે. પીએમને વિષ્ણુ ભગવાન અને સ્મૃતિ ઈરાનીને લક્ષ્મીજી તરીકે દર્શાવવામાં આવ્યા છે. જ્યારે શેષ નાગમાં ઉદ્યોગપતિઓને દર્શાવવામાં આવ્યા છે. તો આ પોસ્ટને કોંગ્રેસના નેતા અને માજી સાંસદ સત્યજીત ગાયકવાડે પણ શેર કરી છે.
આપને જણાવી દઇએ કે તાજેતરમાં મહારાષ્ટ્ર ભાજપના એક પ્રવક્તાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ભગવાન વિષ્ણુનો અગિયારમો અવતાર ગણાવ્યા હતા. જો કે આ ઘટનાને લીધે વિવાદનો મધપૂડો છંછેડાયો હતો. તો આ સાથે જ વિપક્ષે પ્રવક્તાની મજાક પણ ઉડાવ્યો હતો.
આ તરફ કોંગ્રેસે વડાપ્રધાન મોદીની ભગવાન વિષ્ણુના 11 અવતાર તરીકેની સરખામણીને અપમાન ગણાવ્યું હતું. પ્રદેશ ભાજપા પ્રવક્તા અવધૂત વાઘે ટ્વીટ કર્યું હતું કે સમ્માનીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભગવાન વિષ્ણુનો 11મો અવતાર છે.