વડોદરા ખાતે ગઇકાલે પાદરામાં આવેલી એમ્સ કંપનીમાં બ્લાસ્ટ થયો હતો જેમાં 8 લોકોના મોત નિપજ્યાં હતા. જેલે પોલીસે આ દૂર્ઘટનાને લઇને કાર્યવાહી કરતાં કંપનીના બે ડાયરેકટરની અટકાયત કરી છે, જો કે કંપનીના ચેરમને તેમજ માલિક હજુ પણ પોલીસ પકડથી દૂર છે.
વડોદરાના પાદરાની એમ્સ કંપનીના બ્લાસ્ટનો મામલો
પોલીસે કંપનીના બે ડાયરેક્ટરની કરી અટકાયત
સત્યપાલસિંહ અને રાજૂ રાઠવાની કરાઈ અટકાયત
વડોદરાના પાદરામાં આવેલી એમ્સ કંપનીમાં થયેલ બ્લાસ્ટ મામલે પોલીસ દ્વારા બે ડાયરેકટરની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કંપનીના બે ડાયરેકટર સત્યપાલ સિંહ અને રાજૂ રાઠવાની અટકાયત કરી છે.
જો કે હજુ પણ એમ્સ કંપનીના ચેરમેન સિદ્ધાર્થ પટેલ અને માલિક શ્વેતાંશુ પટેલ ફરાર છે. ત્યારે પોલીસ પર સવાલ થાય છે કે હજી સુધી કંપીનાના ચેરમેન અને માલિકની ધરપકડ કરાઇ નથી? આ સાથે જ કંપનીના મેનેજર સત્યકુમારની પણ હજુ સુધી ધરપકડ ન થતાં પોલીસ પર અનેક સવાલ ઉઠી રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે વડોદરાના પાદરામાં થયેલા બ્લાસ્ટમાં 8ના મોત થયા હોવાની જિલ્લા પોલીસ વડાએ પુષ્ટિ કરી હતી. પોલીસ તપાસમાં કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી હતી. આથી FSLની ટીમ જે રિપોર્ટ આપશે તે મુજબ પોલીસ કાર્યવાહી કરશે તેવુ જણાવામાં આવ્યું હતું. કંપનીમાં હાઇડ્રોજન અને નાઇટ્રોજનના સિલિન્ડર પણ રાખવામાં આવ્યા હોવાની માહિતી મળી હતી. હાઈડ્રોજન,ઓક્સિજન અને નાઈટ્રોજનનુ રીફિલિંગનું કામ કરાતુ હતુ. જેને કારણે બ્લાસ્ટ થયો હોવાનું જાણવા મળ્યું હતું.