સાત તબક્કાઓમાં યોજાયેલ લોકસભાની ચૂંટણીના પરિણામોને હવે બે દિવસ બાકી છે ત્યારે વડોદરા કલેક્ટરની પ્રેસ કોન્ફરન્સ યોજાઇ હતી. જેમાં કલેક્ટરે મતગણતરીને લઇને માહિતી આપી હતી.
તેમણે કહ્યું કે, 23મીએ સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશે. મતગણતરી કેન્દ્રની સુરક્ષા પ્રથમવાર ખૂબ સઘન કરાઇ છે. જેમાં મતગણતરી દરમિયાન કોઇપણ વ્યક્તિ મોબાઇલ નહીં લઇ જઇ શકે. રિટર્નિંગ ઓફિસર, ઉમેદવાર કે સુરક્ષા કર્મચારીઓ પણ મોબાઇલ નહીં લઇ જઇ શકે.
વધુમાં તેમણે જણાવ્યું કે 14 ટેબલમાં મતગણતરી થશે. દરેક મતગણતરી કેન્દ્રમાં સીસીટીવી કેમરા લાગેલા હશે. જો EVM ખોટવાય તો ચૂંટણી કમિશ્નરની ગાઇડ લાઇન મુજબ એક કુશળ એન્જિનીયરની ટીમ હાજર રહેશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, દેશમાં લોકસભા ચૂંટણી માટે 19મીએ અંતિમ તબક્કાનું મતદાન પૂર્ણ થઇ ચૂક્યું છે. ત્યારે લોકસભા ચૂંટણી 2019માં કુલ મતદાન 66.39 ટકા થયું છે. વર્ષ 2014ની લોકસભા ચૂંટણીમાં પણ આટલું જ મતદાન થયું હતું. ત્યારે 543 બેઠકો માટે સાત તબક્કામાં મતદાન થયું હતું. તમામ બેઠકોના પરિણામો 23 મેના રોજ જાહેર થશે.