હાલમાં જ સુરત ખાતે ગઇકાલે લાગેલી ભયંકર આગ બાદ પણ રાજ્યના મુખ્ય શહેરોમાં આવેલી હાઇરાઇઝ બિલ્ડિંગમાં ફાયર NOC ન હોવાને લઇને સરકાર દ્વારા કોઇ એકશન લેવાની તૈયારીઓ દેખાઇ રહી નથી. ત્યારે સવાલ એ થાય છે કે હજુ પણ શું આ હાઇરાઇઝ બિલ્ડિંગમાં આગ બાદ કોઇ ભયંકર જાનહાનિ શું તંત્ર રાહ જોઇ રહ્યું છે?
વડોદરાની 11 હાઈરાઈઝ ઈમારત પાસે નથી ફાયર NOC
ફાયર વિભાગે 150 હાઇરાઇઝ ઇમારતોને ફટકારી નોટિસ
ફાયર વિભાગ પાસે સીલ કરવાની સત્તા ન હોવાથી લાચાર
સુરત ખાતે રઘુવીર માર્કેટમાં લાગેલી આગ અંદાજે 24 કલાક બાદ કાબૂમાં આવી. જો કે તેમ છતાં વડોદરા શહેરીન વાત કરીએ તો એક પ્રાપ્ત મળતી માહિતી અનુસાર 11 હાઇરાઇઝ બિલ્ડિંગ પાસે ફાયર NOC ન હોવાનું સામે આવ્યું છે. ત્યારે માત્ર સવાલ એ થાય છે કે તંત્ર આ અંગે કેમ કોઇ આકરા પગલા લેતું નથી.
ફાયર NOC ન હોવાના કારણે ફાયર વિભાગે શહેરની 150 થી વધારે હાઇરાઇઝ ઇમારતોને નોટિસ ફટકારી છે. ફાયર વિભાગ દ્વારા 2 વર્ષથી આ નોટિસ આપવામાં આવી છે.
શહેરની 590 હાઇરાઇ બિલ્ડિંગોમાંથી 340 બિલ્ડિંગ પાસે NOC છે. જ્યારે 250 જેટલી ઇમારતોમાં ફાયર સેફ્ટીના પુરતા સાધનો નથી. જો કે આમ હોવા છતાં ફાયર વિભાગ પાસે સત્તા ન હોવાથી લાચાર જોવા મળી રહ્યું છે.
ફાયર વિભાગના જણાવ્યા અનુસાર તેઓ પાસે જે મિલકત પાસે NOC ન હોય તો પણ તેઓ પાસે સત્તા ન હોવાના કારણે મિલકતને સીલ કરી શકતા નથી. ફાયર વિભાગના જણાવ્યા અનુસાર ફાયરની નોટિસ બાદ મનપા દ્વારા કાર્યવાહી કરાતી નથી.
ફાયર વિભાગના અધિકારીઓએ સ્વીકાર્યું કે આ ખૂબ ગંભીર બાબત છે. શહેરની હાઇરાઇઝ બિલ્ડિંગ પાસે ફાયર NOC ન હોવું એક ગંભીર બાબત છે.