રાજ્યમાં હત્યાના બનાવો છાશવારે બની રહ્યા છે. ત્યારે હવે વડોદરાની સેન્ટ્રલ જેલમાં ગત મોડી રાતે એક ખૂની ખેલ ખેલાયો હોવાના અહેવાલો પ્રાપ્ત થઇ રહ્યા છે. પ્રાપ્ત થતી જાણકારી પ્રમાણે કુખ્યાત અજજુ કાણીયાની વડોદરાની સેન્ટ્રલ જેલમાં હત્યા કરવામાં આવી છે.
કુખ્યાત અજજુ કાણીયાની હત્યા
સેન્ટ્રલ જેલમાં હત્યા
બે આરોપી વચ્ચે થઇ તકરાર
ઉલ્લેખનીય છે કે, 40 વધુ ગુનાઓમાં સંડોવાયેલા અજ્જુ કાણીયો હાલ વડોદરાની સેન્ટ્રલ જેલમાં સજા કાપી રહ્યો હતો. ત્યારે ગત મોડી રાતે આ જ સેન્ટ્રલ જેલમાં રહેલા મર્ડરના આરોપી બિપિન પરમારે અજ્જુ કાણીયાની હત્યા કરી હતી. નોંધનીય છે કે, બિપિન પરમારે અજ્જુ કાણીયાની પતરાના ઘા ઝીંકીને હત્યા કરી હતી.
પતરાના ઘા ઝીંકી અજ્જુ કાણીયાને પતાવી દેવાયો
આ બંન્ને ગુનેગારો વચ્ચે જેલમાં તકરાર થઇ હોવાની પ્રાથમિક જાણકારી પ્રાપ્ત થઇ છે. આ તકરાર અંતે લોહીયાળ જંગમાં પરિવર્તિત થઇ હતી અને મર્ડરના આરોપી બિપિન પરમારે અજ્જુ કાણીયાની પતરાના ઘા ઝીંકીને હત્યા કરી હતી.
પોલીસ અધિકારીઓનો કાફલો પહોંચ્યો ઘટના સ્થળે
આ બનાવને પગલે પોલીસ અધિકારીઓનો કાફલો તાત્કાલિક અસરથી ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને વધુ તપાસ હાથ ધરી હતી. તો અજજુ કણીયાની ડેડ બોડી એસ.એસ.જી હોસ્પિટલ ખસેડાઇ.