વડોદરા એરપોર્ટે પરથી કુરિયરના પાર્સલમાંથી પ્રતિબંધિત દારુગોળો મળી આવ્યો હતો. શંકાસ્પદ પદાર્થ લાગતા એરપોર્ટ ઓથોરિટીએ પોલીસને જાણ કરી હતી. આથી હરણી પોલીસ અને બોમ્બ સ્કોડની ટીમ એરપોર્ટ પહોંચી હતી અને તપાસ હાથ ધરી હતી.
ઉલ્લેખનીય છે કે, આ પાર્સલમાંથી બે એરગન, પોટેશ્યમ ક્લોરાઇડ અને 68 કાર્ટીઝ મળી આવ્યા હતા. સુરતની આકાશગંગા કુરિયર દ્વારા ઈન્ડીગો એરલાઈન્સમાં અમૃતસર પાર્સલ મોકલવામા આવતું હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યુ છે. જો કે આ કોઈ હાનીકારક દારુ ગોળો નથી પરંતુ આવી વસ્તુ પણ એરપોર્ટથી લઈ જવા પર પ્રતિબંધ હોવાનું સામે આવ્યું છે. જેને લઈને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) July 10, 2019
આ ઘટના મામલે મળતી વિગત મુજબ, વડોદરા ખાતે આવેલ હરણી એરપોર્ટ પર આજે પાર્સલમાંથી બે એરગન, પોટેશ્યમ ક્લોરાઇડ અને 68 કાર્ટીઝ મળી આવ્યા ચકચાર મચી જવા પામી હતી. નોંધનીય છે કે, આ પાર્સલ એરલાઈન્સમાં અમૃતસરથી મોકલવામાં આવ્યું હતું. જો કે, આ દારુગોળો હાનીકારક નથી પરંતુ એરપોર્ટ પર તેના પર પ્રતિબંધ લાદવામાં આવ્યો છે.
આ બનાવ અંગેની જાણ નજીકના પોલીસ મથકે થતાં પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી આવ્યો હતો અને તપાસ હાથ ધરી હતી. જો કે, અનિચ્છનીય ઘટના ન બની હોવાથી તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો.