રાજ્યમાં CAAનો વિરોધ થઈ રહ્યો છે ત્યારે વડોદરામાં પથ્થરમારાની ઘટના સામે આવી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પથ્થરમારાની ઘટના ઘટી હતી. પથ્થરમારાને પગલે હાથીખાનામાં વેપારીઓએ દુકાનના શટલ પાડી દીધા હતા. પથ્થરમારાને લઇ પોલીસે કોંમ્બિગ હાથ ધર્યું હતુ. પોલીસે પરિસ્થિત પર કાબુ મેળવ્યો છે.
વડોદરામાં પથ્થર મારો, હાથીખાના વિસ્તારમાં પથ્થરમારો
હાથીખાનામાં વેપારીઓએ દુકાન બંધ કરી
પોલીસ પેટ્રોલિંગ દરમિયાન પથ્થરમારો
નાગરિકતા સંશોધનને લઈને રાજ્યભરમાં વિરોધ થયો હતો. આજે વડોદરામાં પણ પથ્થરમારાનો બનાવ બન્યો હતો. જો કે પોલીસે પરિસ્થિત ઉપર કાબુ મેળવી લીધો છે. અમદાવાદમાં ગુરૂવારે હિંસા પણ થઈ હતી. અસામાજીક તત્વો દ્વારા પથ્થરમારો કરાયો હતો. વિરોધને પગલે વડોદરા. અમદાવાદ અને સુરતમા RAFની ટીમ તૈનાત કરવામાં આવી છે. વડોદરામાં જવાનોએ ફૂટ માર્ચ કરી હતી. RAFની ટુકડી પણ પેટ્રોલિંગમાં જોડાઈ હતી.
પોલીસ અને RAFના જવાનોએ કરી ફ્લેગ માર્ચ
માંડવીથી પાણીગેટ, માંડવીથી લહેરીપુરા દરવાજા સુધી પોલીકર્મીઓએ માર્ચ કરી. તો બીજી તરફ સુરતમાં પણ પોલીસ અને RAFના જવાનોએ ફ્લેગ માર્ચ કરી હતી. આ ફ્લેગ માર્ચ સમગ્ર શહેરમાં શાંતિ સ્થપાઈ રહે અને કોઈ અનિચ્છનિય ઘટના ન બને તે માટે પોલીસ ગોઠવવામાં આવી છે. અમદાવાદના શાહઆલમમાં ગુરૂવારે હિંસા થયા બાદ આજે શહેરમાં શાંતિપૂર્ણ માહોલ છે. શહેરમાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે RAFની બે ટીમ તૈનાત કરવામાં આવી છે. શાહપુર, શાહઆલમ, જમાલપુર અને દરિયાપુરમાં RAFની ટીમ તૈનાત કરાઈ છે.
વડોદરામાં વિરોધ યાથાવત
વડોદરામાં NRC અને CAAનો વિરોધ યથાવત છે. જાહેર રસ્તા પરની દીવાલો પર કાયદા વિરુદ્ધ લખાણો લખવામાં આવ્યા છે. વડોદરાના પંડ્યા બ્રિજ પર અસામાજીક તત્વોએ લખાણો લખ્યો છે. ભાજપના વિરુદ્ધમાં પણ લખાણો લખવામાં આવ્યા છે. અસામાજિક તત્વોએ આવા લખાણો લખી અને વડોદરામાં શાંતી ડહોળવાનો પ્રયાસ કર્યો છે.