બોઇલર બ્લાસ્ટ મામલે કંપનીના ડિરેક્ટરોની ધરપકડ, બોઈલર અને કંપની ઈન્સ્પેક્ટરોની ભૂમિકા શંકાસ્પદ. બંન્નેના નિવેદનો લીધા બાદ હવે પોલીસ વધુ પુછપરછ કરશે.
બોઇલર બ્લાસ્ટ મામલે તપાસ
કંપનીના ડિરેક્ટરોની કરાઇ ધરપકડ
શંકાસ્પદ ભૂમિકાને લઇ કરાશે તપાસ
કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો. જેમાં કંપનીના બે માલિકો સામે ગુનોં નોંધવામાં આવ્યો હતો. કંપનીના માલિક તેજસ પટેલ અને અમિત પટેલ સામે ગુનો નોંધી તેમનો કોરોના રિપોર્ટ કરવામાં આવ્યો હતો. જોકે તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા તેમની ધરપકડ કરવામાં આવી છે.
બોઈલર અને કંપની ઈન્સ્પેક્ટરોની ભૂમિકા શંકાસ્પદ
કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર બ્લાસ્ટનો મામલો સામે આવ્યો હતો. કંપનીના બે માલિકો હત્યા અને હત્યાના પ્રયાસનો ગુનો દાખલ કરવામાં આવ્યો કંપનીમાં બેદરાકીરને પગલે બોઈલરમાં બ્લાસ્ટની ઘટના સામે આવી હતી. જેમાં મોટી જાનહાનિ સર્જાઈ હતી. જોકે કંપનીના ડિરેક્ટરો સામે પોલીસે ગુનો દાખલ કરી આગળની કાર્યવાહી કરી હતી જેમાં તેમનો રિપોર્ટ નેગેટિવ આવતા બંનેની ધરપકડ કરવામાં આવી છે. બોઈલર અને કંપની ઈન્સ્પેક્ટરોની ભૂમિકા શંકાના દાયરામાં છે, હાલ તો પોલીસ દ્વારા નિવેદનો લેવામાં આવી રહ્યા છે અને પોલીસે સમગ્ર મામલે વધુ પુછપરછ હાથ ધરી છે. મહત્વનું છે કે બોઈલર અને કંપની ઈન્સ્પેક્ટરોની ભૂમિકા શંકાના દાયદામાં છે.
નિવેદનો લીધા બાદ હવે પોલીસ વધુ પુછપરછ કરશે
વડોદરાના વડસર બ્રિજ પાસે આવેલી કંપનીમાં બોઈલર ફાટતાં 4થી વધુના લોકોના મોત થયા હતા. આ મૃતકોમાં બે તો માતા-પુત્રીનો પણ સમાવેશ થાય છે આ દુર્ઘટનામાં બોઇલરની બાજુમાં બનાવેલી ગેરકાયદે કોલોની બ્લાસ્ટમાં ઝપેટમાં આવી ગઈ હતી. ગેરકાયદે કોલોનીએ લોકોનો ભોગ લીધો હોવાનું મનાઈ રહ્યું છે ત્યારે આ દુર્ઘટનામાં 15થી 16 લોકો ઇજાગ્રસ્ત થયા હતા. આ દુર્ઘટનામાં બે મહિલા અને બે પુરુષોના મોત થયા જેમાં પુરુષોમાં 19 અને 65 વર્ષના પુરુષનો સમાવેશ થાય છે. જ્યારે 9 જેટલા લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા.
બ્લાસ્ટ કેસમાં બંન્નેની ભૂમિકાઓ છે શંકાના દાયરામાં
મહત્વનું છે કે કંપની દ્વારા બોઇલરની બાજુમાં જ ગેરકાયદે રીતે કોલોની બનાવી દેવામાં આવી હતી. આ કોલોનીમાં કંપનીમાં કામ કરતાં લોકો રહેતા હતા. બોઇલર ફાટતાં આ કોલોનીમાં રહેતો પરિવાર ઝપેટમાં આવી ગયો હોવાની શંકા સેવાઈ રહી છે કારણ કે, એક જ પરિવારના બે સભ્યોના પણ મોત નીપજ્યા હતા. હાલ તો પોલીસ કંપની માલિકોની અને ઈન્સ્પેક્ટરો મામલે વધુ તપાસ હાથ ધરી છે.