વડોદરા: નેતાઓને પ્રસિદ્ધિની એટલી ઉતાવળ હોય છે કે તેઓ ઘણીવાર ભાંગરો વાટી દેતા હોય છે. આવો જ ભાંગરો વાટયો છે વડોદરા જિલ્લા ભાજપના મહિલા મોર્ચાના મંત્રી ટીના ત્રિવેદીએ. ટીના ત્રિવેદીએ સોશિયલ મીડિયામાં એક પોસ્ટ શેર કરીને પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપાયીને શ્રદ્ધાંજલિ આપી દીધી છે.
પરંતુ અટલ બિહારી વાજપેયી હાલ એઈમ્સમાં સારવાર લઈ રહ્યા છે અને તેમની તબિયત પણ સુધારા પર છે અને આવતીકાલે તેમને એઈમ્સમાંથી રજા પણ આપવામાં આવી શકે છે.
ઉલ્લેખનીય છે કે શહેરનાં ભાજપનાં એક પદાધિકારીએ ભાંગરો વાટ્યો છે. તેઓએ પ્રસિદ્ધી માટે એકાએક ઉતાવળા બની ગયાં હતાં. ત્યારે જિલ્લા ભાજપ મહિલા મોરચાનાં મંત્રી પૂર્વ PM અટલ બિહારી વાજપેયીને શ્રદ્ધાંજલિ આપી ચૂક્યાં છે. તેઓએ સોશિયલ મીડિયામાં વાજપેયીને શ્રદ્ધાંજલી આપતી એક પોસ્ટ શેર કરી દીધી છે.
આપને જણાવી દઇએ કે ભારતના વડાપ્રધાન અને ભાજપના દિગ્ગજ નેતા અટલ બિહારી વાજપાઇ હાલ દિલ્હી સ્થિત એઇમ્સ હોસ્પિટલમાં સારવાર લઇ રહ્યા છે. જો કે તાજેતરમાં આવેલ એક મેડિકલ બુલેટિનમાં અટલજીની તબિયત સારી હોવાનું જણાવાયું છે અને નજીકના દિવસોમાં તેમને રજા પણ આપવામાં આવશે.
ડોક્ટરના જણાવ્યાનુસાર વાજપેયીનાં તમામ રિપોર્ટ સામાન્ય આવ્યાં છે. ત્યારે આજરોજ વડોદરા ભાજપના નેતાએ કરેલ એક પોસ્ટ શેર કરીને શ્રધ્ધાંજલિ આપી દેતા રાજકારણમાં ગરમાવો ફેલાઇ ગયો હતો.