વડોદરામાં બેન્કર હોસ્પિટલમાં દર્દીની સારવારનો મામલો સામે આવ્યો છે. જેમાં લાખો રૂપિયાનો ખર્ચ લીધા બાદ દર્દીને રજા આપી દીધી હતી. ત્યારબાદ તેમને એસ.એસ.જી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. એસ.એસ.જી હોસ્પિટલમાં સારવાર દરમ્યાન દર્દી કૃષ્ણકાન્તનું મોત થયુ હતું.
જેને લઇને સમગ્ર વિવાદ શરૂ થયો છે. બેન્કર હોસ્પિટલના સંચાલકો સામે ફરિયાદ નોંધવા પરિવારજનોએ માગ કરી છે. ફરિયાદ ન નોંધાઇ ત્યા સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારનો ઇન્કાર કર્યો છે.
પરિવારજનો દ્વારા આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે કે, પીએમ રિપોર્ટ બદલી દેવામાં આવ્યા છે. મહત્વનું છે કે મૃતદેહ સ્વીકારવાનો પરિવાર દ્વારા ઇન્કાર કરવામાં આવી રહ્યો છે.
સમગ્ર ઘટનાના પગલે પોલીસ હોસ્પિટલ પહોંચી હતી. ઘટનાસ્થળ પર રાવપુરા પોલીસ પહોંચી હતી. ત્યારે પરિવાર દ્વારા પોલીસ પર પણ આક્ષેપ કરવામાં આવી રહ્યા છે.
ત્યારે હવે બેન્કર હોસ્પિટલના સંચાલકો સામે ફરિયાદ નોંધવા પરિવારજનોએ માંગ કરી છે. ફરિયાદ ન નોંધાઇ ત્યાં સુધી મૃતદેહ સ્વીકારવાનો પરિવારજનોએ ઇન્કાર કર્યો છે.