વડોદરા: બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચન આજે ગુજરાતની મુલાકાતે છે. અમિતાભ બચ્ચન આજે ગુજરાતના વડોદરાની મુલાકાતે છે. ત્યારે વડોદરામાં બીગ બીને સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે.
વડોદરામાં પ્રતિષ્ઠિત સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરાશે. અમિતાભ બચ્ચન વર્ષ 1986 પછી આજે વડોદરા આવી રહ્યા છે. ત્યારે બીગ બીને વિશિષ્ટ વ્યક્તિને અપાતો આ એવોર્ડ અપાશે. સયાજીરાવ ગાયકવાડને શ્રદ્ધાંજલિ રૂપે આ એવોર્ડ આપવામાં આવશે.
આપને જણાવી દઇએ કે બરોડા મેનેજમેન્ટ એસોસીએશન દ્વારા વર્ષ ૨૦૧૩માં એક ખાસ ઉદ્દેશ સાથે સયાજી રત્ન એવોર્ડની શરૂઆત કરવામાં આવેલ હતી. જેમાં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ (ત્રીજા)ની જન્મ જયંતિની ઉજવણી કરવામાં આવે છે.
તેમજ તેમની સમાજ પ્રત્યેની ભાવનાને ધ્યાને રાખીને એક ખાસ એવોર્ડ આપવાની શરૂઆત કરવામાં આવેલ. જેમાં એવોર્ડ કોને આપવો તે માટે પણ કેટલાક ખાસ નિયમો બનાવવામાં આવ્યા હતા. જેમાં પણ મહારાજા સયાજીરાવ ગાયકવાડના વિચારોને ધ્યાને રાખવામાં આવ્યા હતા.
ત્યારે એવોર્ડ પસંદગી સમિતિએ ચાલુ વર્ષે એવોર્ડ માટે સદીના મહાનાયક અમિતાભ બચ્ચનન પર પસંદગી ઉતારતા આજરોજ વડોદરા ખાતે સયાજી રત્ન એવોર્ડ સન્મામ સમારંભનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અમિતાભ બચ્ચન ખાસ હાજર રહેવાના છે. આ સાથે જ ગાયકવાડ પરિવારના સભ્યો પણ ખાસ હાજર રહેશે.