ફિલ્મસ્ટાર અમિતાભ બચ્ચન વડોદરાના મહેમાન બન્યાં હતા. બચ્ચનને મેનેજમેન્ટ એસોસિયેશન દ્વારા સયાજી રત્ન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. જેમાં ખેલ જગત ઉદ્યોગ જગત તેમ જ વિવિધ ક્ષેત્રમાંથી પસંદ કરીને અપાતા એવોર્ડ માટે અભિતાભ બચ્ચનની પસંદગી કરાઈ હતી.
વડોદરામાં જાજરમાન કાર્યક્રમ યોજીને અમિતાભ બચ્ચન એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યા હતા. વડોદરા મેનેજમેન્ટ એસોસિયેશન દર વર્ષે દેશના એક એવા મહાનુભાવ કે જેમણે દેશ માટે યોગદાન આપ્યું હોય અને વિશિષ્ટ સિદ્ધિ હાંસલ કરી હોય તેવા મહાનુભાવને સયાજી રત્ન એવોર્ડથી સન્માનીત કરે છે.
નવલખી મેદાન ખાતે વિશાળ કાર્યક્રમ યોજીને તેમને આ એવોર્ડથી એનાયત કરાયો હતો. કાર્યક્રમ બાદ બચ્ચને પોતાના સમર્થકો સાથે ફોટ પડાવ્યા હતા અને લોકોને ઓટોગ્રાફ આપ્યા હતા.