વડોદરા પાદરા અને નંદેસરીમાં આવેલાં 300થી વધુ ઉદ્યોગોમાંથી નીકળતાં ખૂબ જ ખતરનાક અને ઝેરી એવાં કેમિકલ યુક્ત પાણીને લઈને ઉદ્યોગો બંધ કરવાં પડે તેવી પરિસ્થિતિ ઉભી થઈ છે. ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે દ્વારા પાણીને શુદ્ધ કરવાની જવાબદારીને લઈને VECLને ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી.
VECLને આપવામાં આવેલી નોટિસનો આજે છેલ્લો દિવસ છે. આ મામલે હાઇકોર્ટે સ્ટે આપવાની મનાઇ કરી દેતાં વડોદરાનાં ઉદ્યોગ પર કટોકટીની સ્થિતિ ઉભી થઇ છે. વીજ કંપનીને પણ VECLનું કનેક્શન બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
ઉલ્લેખનીય છે કે આ ૩૦૦થી વધુ ઉદ્યોગોમાંથી નીકળતાં એવાં ખતરનાક અને ઝેરી કેમિકલ યુક્ત પાણીને નિયમ મુજબ જોઇએ તો તેને શુદ્ધ કર્યા વગર જ મહિસાગર નદીમાં છોડવામાં આવી રહ્યું હોવાનાં ગંભીર આક્ષેપો કરાયાં.
બાદમાં ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડે દ્વારા પાણીને શુદ્ધ કરવાની જવાબદારી જેઓની પર છે તે વડોદરા (VECL) ને આપેલી ક્લોઝર નોટિસ સામે હાઇકોર્ટે સ્ટે આપવાની મનાઇ કરી દેતાં વડોદરાનાં ઉદ્યોગ પર કટોકટીની એક મોટી સ્થિતિ સર્જાઇ છે. વીજ કંપનીને પણ VECLનું કનેક્શન બંધ કરવા માટે આદેશ આપવામાં આવ્યો છે.
મહત્વનું છે કે GPCB દ્વારા તારીખ 13 ડિસેમ્બર 2018નાં રોજ VECLને 30 દિવસની ક્લોઝર નોટિસ આપવામાં આવી હતી. ત્યારે હવે તેની મુદ્દત રવિવારનાં તારીખ 13 જાન્યુઆરીનાં રોજ પૂર્ણ થાય છે. બીજી બાજુ હાઇકોર્ટે પણ સ્ટે નહીં આપતા હવે એન્ફ્લુઅન્ટ ચેનલ બંધ કરવી પડશે પરંતુ જો ચેનલ બંધ થાય તો આખરે ઉદ્યોગોને પણ શટડાઉન કર્યા સિવાય અન્ય કોઇ વિકલ્પ પણ નથી.