આજે વડોદરાના શહેરીજનોને પાણીકાપની સમસ્યાને લઈ હેરાનગતી થઈ શકે છે. મુખ્ય પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા પાણીની તંગી સર્જાઇ શકે છે.
મળતી માહિતી અનુસાર મહી નદીના પોઈચા ફેન્ચવેલની મુખ્ય લાઈનમાં ભંગાણ થતા 3 લાખ લોકોને પાણીની સમસ્યાનો સીધો સામનો કરવો પડશે. પાણીની લાઈનમાં હાલ તંત્ર દ્વારા કામગીરી હાથ ધરવામાં આવી છે.
જોકે છ ટાંકી અને બુસ્ટરના કમાન્ડ વિસ્તારમાં પાણી ન મળતા ગોરવા સુરાનપુરા એકોટા મોજલપુર સહિતના વિસ્તારમાં પાણીની ઘટ રહેશે.