છેલ્લા ઘણા સમયથી મનોરંજન જગતમાં અશુભ સમાચાર મળી રહ્યાં છે. હવે મશહૂર કોમેડીયન વાદીવેલ બાલાજીનું 10 સપ્ટેમ્બરના રોજ અવસાન થઇ ગયુ છે. તામિળ ફિલ્મ ઇન્ડસ્ટ્રીના કોમેડીયન 45 વર્ષના હતા.
વાદીવેલનુ થયુ અવસાન
તામિળ ઇન્ડસ્ટ્રીમાં હતા પ્રખ્યાત
એક બાદ એક થઇ રહ્યા છે મોત
મળતી માહિતી અનુસાર વાદીવેલને અટેક આવવાથી મૃત્યુ થયુ છે. તેમને ચેન્નઇની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. વેન્ટિલેટરના સહારે તે છેલ્લા શ્વાસ લઇ રહ્યા હતા.
એટેક બાદ તેમને પેરાલિસીસ થઇ ગયુ હતુ અને છેલ્લા 15 દિવસથી તેમનો ઇલાજ ચાલી રહ્યો હતો. આજે સવારે તબિયત ખરાબ થઇ અને તેમનુ અવસાન થઇ ગયુ હતુ. રિપોર્ટ અનુસાર લૉકડાઉન દરમિયાન તે આર્થિક તંગીથી પસાર થઇ રહ્યાં હતા.
તેમની પાછળ તે પત્ની અને બે બાળકો મૂકીને ગયા છે. તમને જણાવી અધુ ઇધુ ઇધુ અને કલાકકા પોવાથુ યારુ જેવા શૉમાં કામ કરીને ઓળખાણ બનાવી હતી. તે સિવાય તે ઘણી તામિળ ફિલ્મોનો હિસ્સો પણ રહ્યાં હતા. તમને જણાવી દઇએ કે તેમનો જન્મ મદુરાઇમાં થયો હતો અને તે પોતાની મિમીક્રી અને બોડી લેન્ગવેજ માટે જાણીતા હતા.
વાદીવેલના નિધનની જાણકારી વિજય ટેલિવિઝને પોતાના ઓફિશીયલ ટ્વિટર અકાઉન્ટથી આપી હતી, જાણકારી મળતાની સાથે જ તેમના ફેન્સ તેમની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવા લાગ્યા.