આસામ કોર્ટે જીગ્નેશ મેવાણીના 3 દિવસના આપ્યા રિમાન્ડ, આસામ પોલીસે જીગ્નેશ મેવાણીની બુધવારે રાત્રે કરી હતી ધરપકડ
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના જામીન નામંજૂર
આસામ પોલીસે માગ્યા હતા 14 દિવસના રિમાન્ડ
ગત મોડી રાત્રે આસામ પોલીસ દ્વારા વડગામના MLA જિગ્નેશ મેવાણીની ધરપકડ કરી હતી.જે તે ગુજરાત સહિત દેશભરમાં કોંગી કાર્યકરો દ્વારા આ ધરપકડનો વિરોધ કરવામા આવી રહ્યો છે. ત્યારે વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીના જામીન આસામ કોર્ટે ના મંજૂર કરી દીધા છે. આસામ પોલીસે ધરપકડ બાદ જીગ્નેશ મેવાણીને આસામમાં કોર્ટ સમક્ષ હાજર કરી 14 દિવસના રિમાન્ડની માગણી કરવામા આવી હતી. કોર્ટે જીગ્નેશ મેવાણીના 3 દિવસ રિમાન્ડ મંજૂર કરી જામીન નામંજૂર કર્યા
જીગ્નેશ મેવાણીની ધરપકડ અને વ્યૂહરચના અંગે બેઠકમાં થશે ચર્ચા
આજે કોંગ્રેસના ધારાસભ્ય દળની બેઠક મળશે. આ બેઠકમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ મામલે ચર્ચા થશે. બપોરે 1 વાગે ગાંધીનગરમા મળનાર બેઠકમાં જીગ્નેશ મેવાણીની ધરપકડ અને વ્યૂહરચના અંગે બેઠકમાં ચર્ચા થશે. આ બેઠકમાં રાજ્યમા કાયદો અને વ્યવસ્થા, મોંઘવારી જેવા મુદ્દો આંદોલનાત્મક કાર્યક્રમો અંગે પણ ચર્ચા થઈ શકે છે. ઉલ્લેખનીય છે કે, જીગ્નેશ મેવાણીએ એક ટ્વીટ કર્યુ હતુ જેના પર અસમ પોલીસ દ્વારા જીગ્નેશની પાલનપુરથી ધરપકડ કરવામાં આવી છે.
PAના ઘરે તપાસ હાથ ધરવામાં આવી
જીગ્નેશ મેવાણીની ધરપકડ બાદ તેના PAના ઘરે તપાસ હાથ ધરવામાં આવી હતી. અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમ દ્વારા પીએ કમલેશ કટારીયાના ઘરે સર્ચ હાથ ધર્યું હતું.
આસામમાં થયેલી ફરિયાદના આધારે આસામ પોલીસે કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે, ગત મોડી રાત્રે જીગ્નનેશ મેવાણીને આસામ પોલીસે પાલનપુરથી ધરપકડ કરી છે. આ અંગે જીજ્ઞેશ મેવાણીએ કહ્યું કે મારા કોઇ ટ્વિટ મામલે મારી ધરપકડ કરવામાં આવી છે. જો કે, પોલીસે મને પણ કોઇ સચોટ જાણકારી આપી નથી. મેવાણીએ કહ્યું કે હું કોઈ ખોટી ફરિયાદથી ડરવાનો નથી. મેવાણીએ કહ્યું કે હું મારી લડત ચાલુ રાખીશ.
કૉંગ્રેસ જીગ્નેશ મેવાણીની સાથે જ છે -મોઢવાડીયા
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની પોલીસ અટકાયત બાદ વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે..ત્યારે જીગ્નેશ મેવાણીની ઘરપકડને લઈને કોંગ્રેસના સિનિયર નેતા અર્જુન મોઢવાડીયાની પ્રતિક્રિયા સામે આવી છે. અર્જુન મોઢવાડીયાએ જણાવ્યું કે પ્રધાનમંત્રીને શાંતિ જાળવવાની અપીલ કરવી કોઈ ગુનો છે. ગુજરાતમાં ચૂંટણીઓ આવનાર છે ત્યારે યુવા નેતાઓને ચૂંટણીઓમાંથી બહાર કાઢવા માટેનું કારસ્તાન છે.કૉંગ્રેસ જીગ્નેશ મેવાણીની સાથે જ છે અને ન્યાય અપાવીને રહેશે.
હાર્દિક પટેલે ટ્વિટ કરી સરકારને ચેતવણી આપી
કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ટ્વિટ કરીને કહ્યું હતું કે, ગઈ કાલે અડધી રાત્રે MLA જિગ્નેશ મેવાણીને આસામ પોલીસે ધરપકડ કરી છે. ફક્ત એક ટ્વિટને કારણે ધરપકડ અને તે પણ અડધી રાત્રે કંઈક તો ગરબડ છે મારી સરકારને ચેતવણી છે કે જિગ્નેશ મેવાણીને કંઈ પણ થયું તો જવાબદારી સરકારની રહેશે. હવે તો દેશમાં ધારાસભ્ય પણ સુરક્ષિત નથી.હાર્દિક પટેલે
કન્હૈયા કુમારે પણ જિગ્નેશ મેવાણીનું સમર્થન કરી સરકાર સામે સવાલો કર્યા
બીજી તરફ કન્હૈયા કુમારે ટ્વીટ કરતાં લખ્યું છે, “અડધી રાત્રે જિગ્નેશ મેવાણીના એક સાથીએ કોલ કરીને જણાવ્યું કે આસામ પોલીસ જિગ્નેશભાઈની પાલનપુરથી ધરપકડ કરીને આસામ લઈ જઈ રહી છે. ના તેમની પાસે મોબાઇલ છે, ના અમને કોઈ FIRની કૉપી અપાઈ છે. જનતાએ ચૂંટેલા પ્રતિનિધિ સાથે આવો ન્યાય?”
જિગ્નેશ મેવાણીના સમર્થમાં અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કરી
અભિનેત્રી સ્વરા ભાસ્કરે પણ ટ્વીટ કરીને જિગ્નેશ મેવાણીની ધરપકડ અંગે માહિતી આપી અને કહ્યું કે “આ બધું શું ચાલી રહ્યું છે. જિજ્ઞેશ મેવાણીની ધરપકડ શા માટે?”"જિગ્નેશ મેવાણી સૌથી પ્રતિબદ્ધ કાર્યકર્તાઓ અને ધારાસભ્યોમાંથી એક છે. તેઓ હંમેશાં અન્યાયની સામે ઊભા રહ્યા છે અને વંચિતોનો સાથ આપ્યો છે. તેઓ જનતાના ચૂંટેલા પ્રતિનિધિ છે અને હવે તેમની કેટલાંક ટ્વીટના કારણે ધરપકડ કરાઈ હોવાની વાત સામે આવી છે. કેમ?"
જિગ્નેશ મેવાણીની ધરપકડ મુદ્દે ગુજરાત કોંગ્રેસે અમદાવાદમાં કર્યુ વિરોધ પ્રદર્શન
વડગામના ધારાસભ્ય જીગ્નેશ મેવાણીની આસામ પોલીસે ધરપકડ કરી વિમાન મારફતે આસામ લઈ જવામાં આવ્યા છે. જે બાદ ગુજરાતના રાજકારણમાં ભારે ગરમાવો આવ્યો છે.જે મામલે ગુરુવારે અમદાવાદના સારંગપુર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતમિમા પાસે કોંગ્રેસના પ્રમુખ જગદીશ ઠાકોર દ્વારા વિરોધ પ્રદર્શનનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો.