કોરોના વેક્સિનની અછત પર કેન્દ્રએ સ્પષ્ટતા આપતા જણાવ્યું છે કે દેશમાં મેન્યુફેક્ચરિંગ કેપેરિટી વધારી દેવામાં આવ્યું છે.
કોરોના વેક્સિન પર કેન્દ્રની સ્પષ્ટતા
રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોની મદદ કરી રહ્યા છીએ
દેશમાં મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારી દેવામાં આવી છે
કોરોના વેક્સિનની અછતને લઈને ઉઠી રહેલા સવાલો પર કેન્દ્ર સરકારે સ્પષ્ટતા આપી છે. સરકારની તરફથી એક નિવેદન જાહેર કરતા જણાવવામાં આવ્યું છે કે દેશમાં વેક્સિન મેન્યુફેક્ચરિંગની ક્ષમતા વધારી દેવામાં આવી છે અને દેશના દરેક લોકો સુધી વેક્સિન પહોંચે તે માટે વિદેશથી વેક્સિન મંગાવવામાં આવશે.
સરકારનું કહેવું છે કે વેક્સિન એક બાયોલોજીકલ પ્રોડક્ટ છે. તેને તૈયાર કરવામાં અને ટેસ્ટિંગમાં સમય લાગે છે. અને તે રાતો રાત સંભવ નથી. મેન્યુફેક્ચરિંગ કેપેસિટી વધારવાની પણ પ્રક્રિયા હોય છે. કેન્દ્રએ કહ્યું કે વેક્સિનેશનમાં કોરોના દર્દીઓના પ્રભાવી મેનેજમેન્ટને લઈને રાજ્યો અને કેન્દ્ર સાશિત પ્રદેશોની તરફથી જે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તેને શરૂઆતથી જ સપોર્ટ કરવામાં આવશે.
સરકારે જણાવ્યું કે દુનિયાભરમાં વેક્સિનની ડિમાન્ડ વધારે છે
સરકારે સ્પષ્ટતા આપતા જણાવ્યું કે કોરોના મહામારીની દુનિયાભરમાં અસર જોવા મળી રહી છે. દરેક દેશોમાં વેક્સિન બનાવતી કંપનીઓ અને મેન્યુફેક્ચરિંગ ક્ષમતા સીમિત છે. પરંતુ દુનિયાભરમાં વેક્સિનની માંગ ખૂબ વધારે છે. ભારતની આબાદી 1.4 અરબ છે. જે દુનિયાની આબાદીનો એક મોટો ભાગ છે.
1 કરોડ ડોઝ ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા
સરકારે કહ્યું કે દેશમાં જે બે કંપનીઓ- સીરમ ઈન્સ્ટીટ્યુટ અને ભારત બાયોટેકને વેક્સિન બનાવવાની મંજૂરી આપવામાં આવી છે તે ડિસેમ્બર 2021 સુધી 1 કરોડ ડોઝ દર મહિને ઉપલબ્ધ કરાવવાની ક્ષમતા ધરાવે છે. આ ક્ષમતાને વધુ વધારવામાં આવી છે. કેન્દ્રએ એમ પણ જણાવ્યું કે વેક્સિનની ઉપલબ્ધતાને લઈને પ્રશ્નો હોવા છતાં દેશમાં 130 દિવસમાં 20 કરોડ લોકોને વેક્સિન આપવામાં આવી છે. આ મામલે ભારતનો નંબર દુનિયામાં ત્રીજો છે.