યોગગુરુ બાબા રામદેવે ફરી વાર એલોપેથી અને મેડિકલ સાયન્સ પર સવાલ ઉઠાવતા મોટો વિવાદ થવાના એંધાણ છે.
બાબા રામદેવે ફરી વાર એલોપેથી પર સવાલ ઉઠાવ્યાં
કહ્યું- ફક્ત વેક્સિન જ લોકોને કોરોનાથી નહીં બચાવે
યોગ અને આયુર્વેદનો પણ સાથ લેવો પડશે
બાબા રામદેવ ગુરુવારે કોવિડ -19 સામે એલોપેથીની અસરકારકતા પર ફરી એકવાર સવાલ ઉઠાવતા કહ્યું કે લોકોને વાયરસથી બચાવવા માટે એકલું રસીકરણ પૂરતું નથી અને તેમને યોગ અને આયુર્વેદ સાથે પૂરક બનાવવાની જરૂર છે.
બાયડન અને WHOના અધિકારીઓ પણ કોરોના પોઝિટીવ થયા છે- રામદેવ
અમેરિકી રાષ્ટ્રપતિ જો બાયડન કોરોનાનો બૂસ્ટર ડોઝ લીધો હોવા છતાં પણ પોઝિટીવ થયા હતા તે અંગેના સવાલનો જવાબ આપતા બાબા રામદેવે આ પ્રકારનું નિવેદન આપ્યું હતું. રામદેવે કહ્યું કે ડબ્લ્યુએચઓના ટોચના અધિકારીઓ પણ કોવિડનો ભોગ બન્યા છે.
Yoga guru Ramdev questions the efficacy of allopathy against COVID-19 once again, says vaccination alone is not enough to protect people from the virus and that they need to be supplemented with yoga & ayurveda
યોગ અને આયુર્વેદની મદદ લેવી પડશે- બાબા રામદેવ
રામદેવે કહ્યું, યોગ અને આયુર્વેદના સમર્થન વિના, કોઈ પણ રસી તમને કોરોનાવાયરસ સામે કાયમી ધોરણે રક્ષણ આપી શકશે નહીં, પછી ભલે તમે ગમે તેટલા મોટા હોવ, રાષ્ટ્રપતિ અથવા પોતે મોટા ડોક્ટર હોય.
વેક્સિનને નામે મેડિકલ સાયન્સ વિશ્વને ગેરમાર્ગે દોરી રહ્યું છે
રામદેવે દાવો કર્યો હતો કે રસીના નામે મેડિકલ સાયન્સ દ્વારા વિશ્વને ગેરમાર્ગે દોરવામાં આવી રહ્યું છે. વિશ્વ ફરીથી યોગ અને આયુર્વેદ તરફ પાછું ફરશે. લોકો તેમના બગીચામાં તુલસી, એલોવેરા અને ગિલોય ઉગાડી રહ્યા છે અને તેમના સ્વાસ્થ્ય લાભો મેળવી રહ્યા છે.
આ પહેલા પણ બાબા રામદેવે મેડિકલ સાયન્સ પર ઉઠાવ્યા હતા સવાલ
ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બાબા રામદેવે મેડિકલ સાયન્સ પર સવાલ ઉઠાવ્યાં હતા. તે વખતે તેમના નિવેદન પર ખૂબ વિવાદ થયો હતો અને મામલો છેક સરકાર સુધી પણ પહોંચ્યો હતો. આખરે સરકારની દરમિયાનગીરીથી બાબા રામદેવે માફી માગી હતી અને હવે ફરી વાર તેમણે મેડિકલ સાયન્સ પર સવાલ ઉઠાવ્યો છે આગામી સમયમાં તેમના નિવેદન મામલે વિવાદ પેદા થઈ શકે છે.