કાઉન્સિલ ઓફ સાયન્ટિફિક એન્ડ ઈન્ડસ્ટ્રીય રિસર્સ સેન્ટર (CSIR) ના પૂર્વ પ્રમુખ ડો.રાકેશ મિશ્રાએ ભારતમાં ઓમિક્રોન વેરિયન્ટને લઈને રાહતના સમાચાર આપ્યા છે.
CSIRના પૂર્વ પ્રમુખ ડો.રાકેશ મિશ્રાનો દાવો
ભારતમાં ઓમિક્રોન પર રાહતના સમાચાર
વેક્સિન ઓમિક્રોનની સામે ઢાલ બની જશે-ડો.રાકેશ મિશ્રા
સંક્રમણના હળવા લક્ષણોમાં ફેરફાર સારો સંકેત
ડો.રાકેશ મિશ્રાએ જણાવ્યું કે વેક્સિન કોરોનાથી બચાવવામાં શીલ્ડની જેમ કામ કરશે. તેમણે કહ્યું કે ચાલુ વર્ષની શરુઆતમાં જ્યારે દેશ કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહ્યો હતો ત્યારે ડેલ્ટા વેરિયન્ટ ખતરનાક હતો. હવે આફ્રિકાથી આવેલો ઓમિક્રોન વેરિયન્ટ પણ વધારે ચેપી છે જોકે રાહતની વાત એ છએ કે આ વાયરસ હળવા લક્ષણોની સાથે દેશના મુખ્ય શહેરોમાં પહોંચશે જે ઘણો સારો સંકેત છે.
હાઈબ્રિડ ઈમ્યુનીટિથી મળશે ફાયદો
તેમણે કહ્યું કે નવા વેરિયન્ટની સામે હાઈબ્રિડ ઈમ્યુનિટી અસરકારક સાબિત થશે. વૈજ્ઞાનિક રીતે તેને માન્યતા મળી રહી છે. મને લાગે છે કે વેક્સિન ઘણી કારગર નીવડશે. ચેપને કારણે નેચરલ ઈમ્યુનીટી મળે છે. વેક્સિન ઈમ્યુનીટી વેક્સિનથી મળે છે જ્યારે પહેલેથી સંક્રમિત થઈ ચૂકેલા વ્યક્તિ વેક્સિન લે છે ત્યારે તેને હાઈબ્રિડ ઈમ્યૂનિટી મળે છે. જો લોકોને કુદરતી ચેપ લાગેલો હોય તો અને સાથે તેમણે વેક્સિન પણ લીધી હોય તો આવું શક્ય બને છે.
તમામના સેમ્પલ લેવા જરુરી
ડો. મિશ્રાએ જણાવ્યું હતું કે છેલ્લા કેટલાક દિવસોમાં અમે બે કે ચાર કેસ શોધી કાઢ્યા છે, પરંતુ અમે જીનોમ સિક્વન્સ માટે કેટલા નમૂના મોકલી રહ્યા છીએ? જો અમે 100% સિક્વન્સ કરીએ તો જ તમે તમને કહી શકો છો કે કેટલા લોકો પાસે આ વેરિઅન્ટ છે અને કેટલા નથી. ઘણા લોકો હળવા લક્ષણો અથવા લક્ષણો વિનાના હોય છે, જેને કારણે વેરિયન્ટ વધારે ફેલાઈ રહ્યો છે.
ડેલ્ટા કરતા ઓમિક્રોન વધુ ચેપી
ડો. મિશ્રાએ વધુમાં જણાવ્યું હતું કે ઓમિક્રોન ડેલ્ટા વેરિએન્ટ્સ કરતા વધુ ચેપી હોઈ શકે છે જેને કારણે આ વર્ષની શરૂઆતમાં ભારતમાં બીજી લહેર આવી હતી. જોકે નવા વેરિએન્ટમાં દર્દીની હાલત ગંભીર ન હોવી એ એક સારો સંકેત છે. તેમણે કહ્યું કે આપણે હવે પહેલી અને બીજી લહેર કરતા વધારે મજબૂત સ્થિતિમાં છીએ.